Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot અગ્નિકાંડન આરોપી ધવલ ઠકકરની જામીન અરજી નામંજૂર

    August 8, 2025

    09 ઓગસ્ટ નું પંચાંગ

    August 8, 2025

    09 ઓગસ્ટ નું રાશિફળ

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot અગ્નિકાંડન આરોપી ધવલ ઠકકરની જામીન અરજી નામંજૂર
    • 09 ઓગસ્ટ નું પંચાંગ
    • 09 ઓગસ્ટ નું રાશિફળ
    • Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો
    • Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા
    • Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ
    • નીલકંઠ મહાદેવ રાનેકપર હળવદ
    • BJP leader એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી પોસ્ટ મૂકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’
    લેખ

    9 ઓગસ્ટ, ‘ ભારત છોડો આંદોલન દિવસ ’

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ 1942માં શરૂ થયેલા આ આંદોલનને ‘અંગ્રેજો ભારત છોડો‘ એવું નામ આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સમગ્ર દેશ શામેલ થયો હતો જેની અંગ્રેજ સરકાર પર ખુબ ઊંડી અસર પડી હતી. આ આંદોલન ભારતની આઝાદી માટે ખુબ મહત્વપૂર્ણ આંદોલન પુરવાર થયું હતું. આંદોલનની શરૂઆતમાં જ ગાંધીજીને તત્કાલ બંદી બનાવી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાલો અને તોડફ઼ોડ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 900 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 60 હજારથી વધુ લોકોની ધરપક્કડ કરવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત વલણ અપનાવ્યું હતું. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને એક વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. ભારત દેશ આઝાદ થયો તેને સાડા સાત દાયકાઓ જેટલો સમય થઈ ગયો છે, કેટલાય લોકોનો ભોગ લેવાયો, રાષ્ટ્રમાં વસતા લોકોને એક સારી જિંદગી આપવા માટે આઝાદીનાં લડવૈયાઓએ અથાગ પ્રયત્નો કર્યા જેમાં “હિંદ છોડો“ આંદોલને ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. આ મહા ભોગે મળેલી આઝાદીનો આપણે કેવો અને કેટલો ઉપયોગ કરીએ છીએ તે વ્યક્તિની પોતાની સમજ, શક્તિ અને વ્યવહાર પર નિર્ભર કરે છે. આઝાદીનાં આટલા વર્ષો પછી હજુ પણ આપણો દેશ ભ્રષ્ટાચાર, દુરાચાર, બેરોજગારી, મોંઘવારી જેવી બાબતોનો સામનો કરી રહ્યું છે, આ કેટલે અંશે યોગ્ય છે ? આ તમામ બાબતો કેટલા સમય સુધી આમ જ અવિરત ચાલ્યા કરશે તેનો સંપૂર્ણ આધાર દેશનાં લોકો પર છે. જાગૃતિ જ સિદ્ધિ મેળવવાનું એકમાત્ર ઉપાય છે. હું જ શું કામ આમ કરું ?, શું હું એકલો બદલાવ લાવી શકું છું? , મારા એકલાથી શું થઈ જશે ? આ તમામ વાતોને અલગ મુકીને ખરેખર કોઈ સચોટ દિશાની પસંદગી કરીને કાર્ય કરવું પડશે. આપણે એ કાયમ યાદ રાખવું જોઈએ કે દેશની આઝાદી માટેની લડત લડવા માટે સૌપ્રથમ આગળ આવેલા ગાંધીજી પણ પહેલા એકલા જ હતા. આ ભારત છોડો આંદોલન દિવસ પર આપણે જાગૃત થઈને અને ભ્રષ્ટાચાર, દુરાચાર, મનની ખરાબીઓ ને છોડવી જોઈએ અને મોંઘવારી, બેરોજગારી જેવા પડકારોનો દ્રઢતાથી સામનો કરવો જોઈએ.    

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન

    August 8, 2025
    લેખ

    તંત્રી લેખ…અમેરિકાને ભારતનો કડક સંદેશ

    August 8, 2025
    લેખ

    અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

    August 8, 2025
    લેખ

    કુદરતના ક્રોધને કારણે ભયંકર પૂર

    August 8, 2025
    લેખ

    તંત્રી લેખ…પ્રાઇવેટ સ્કૂલોના આડેધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલાં

    August 7, 2025
    ધાર્મિક

    શિવ આરાધના

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot અગ્નિકાંડન આરોપી ધવલ ઠકકરની જામીન અરજી નામંજૂર

    August 8, 2025

    09 ઓગસ્ટ નું પંચાંગ

    August 8, 2025

    09 ઓગસ્ટ નું રાશિફળ

    August 8, 2025

    Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો

    August 8, 2025

    Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા

    August 8, 2025

    Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot અગ્નિકાંડન આરોપી ધવલ ઠકકરની જામીન અરજી નામંજૂર

    August 8, 2025

    09 ઓગસ્ટ નું પંચાંગ

    August 8, 2025

    09 ઓગસ્ટ નું રાશિફળ

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.