- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
Author: Vikram Raval
Mumbai,તા.25 મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ પર વરસાદની અસર જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન ગંભીરરીતે ખોરવાઈ ગયું છે જેના કારણે મુખ્ય એરલાઈનોએ મુસાફર માટે એડવાઈઝરી જાહેર કરવી પડી છે. ઈન્ડિગોની ફ્લાઈટ લેટ ઈન્ડિગોએ કહ્યું કે સતત વરસાદના કારણે તેમની ફ્લાઈટમાં સમયાંતરે મોડું થઈ રહ્યું છે. ઓછી કિંમતવાળી એરલાઈન્સે કહ્યું કે તે મુસાફરને વાસ્તવિક સમય પર અપડેટ આપવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તમામને…
Surat,તા.25 ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (25મી જુલાઈ) પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક…
બજેટ 2024માં એક એવી જાહેરાત થઈ છે, જેનાથી પ્રોપર્ટી વેચનારને મોટો ઝટકો વાગશે. પ્રોપર્ટી વેચવા પર ઈન્ડેક્સેશન નામનો મળતો મોટો લાભ હવે દૂર કરવામાં આવ્યો છે. વધુમાં બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 7.5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી તેમાં પણ રાહત મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે પહેલાંની તુલનાએ પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. બજેટમાં આ પ્રકારની જાહેરાતથી હવે પ્રોપર્ટી વેચવા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે તેમજ કેટલુ ભારણ વધવાની શક્યતા છે, તેના વિશે જાણીએ… બજેટમાં પ્રોપર્ટી પર એલટીસીજી ટેક્સ ઘટાડો 23 જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે પ્રોપર્ટીના વેચાણ…
Mumbai,તા.25 મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. એમાં પણ ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનો લેટ થવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવા એક ઘટના એવી બની કે રેલવેને મોટું નુકસાન થયું છે. એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને વરસાદમાં ભીંજાવાથી બચાવવા માટે ફેંકીને રેઇનકોટ આપ્યો તો લોકલ ટ્રેન થંભી ગઈ હતી. જાણો શું છે આખો મામલો? સુમિત ભાગ્યવંત નામનો 19 વર્ષનો યુવક ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઊભો હતો અને તેની પાસે રેઇનકોટ હતો. તેમજ પ્લેટફોર્મ નંબર બે પર તેની ગર્લફ્રેન્ડ વરસાદમાં ભીંજાતી હતી. આથી તેને વરસાદમાં…
New Delhi,તા.25 ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનતા જ ટીમમાં ઘણા ફેરફાર થયા હતા. શ્રીલંકા સામેની શ્રેણીથી ગંભીરની પરીક્ષા શરૂ થશે. આ પ્રવાસમાં T20 ક્રિકેટ ટીમની આગેવાની સોંપવાને લઈને ઘણી અટકળો ચાલી હતી. આખરે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોએ આની પાછળનું કારણ આ બંને ખેલાડીઓના આપસમાં તાલમેલનું ગણાવ્યું હતું. જો કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદના ઉમેદવાર બનાવવાની કવાયત તો રાહુલ દ્રવિડ હેડ કોચ હતા ત્યારે જ શરૂ થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ હાર્દિક પંડ્યાની ઇજામાંથી રિકવર થવા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નહોતી ત્યારે સૂર્યકુમારને ઘરઆંગણે રમાયેલ T20 ટીમની આગેવાની સોંપવામાં આવી હતી. જેમાં તેણે ઉમદા…
New Delhi,તા.25 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રેલવે માટે કોઈ ખાસ જાહેરાતો કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં રેલવે મંત્રી દ્વારા વિવિધ જાહેરાતોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બજેટ સેશન દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી પર મોટી અપડેટ આપી છે. લોકસભામાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેમાં ભરતીઓ કરવામાં આવશે. જે અનુસાર, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં 32603 પદ પર ભરતી ચાલુ છે. જેના માટે જાન્યુઆરી- 24થી માર્ચ-24 સુધી નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લોકો પાયલોટ, ટેક્નિશિયન, સબ-ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ માટે અરજી કરવામાં આવી હતી. ભરતીનું વાર્ષિક કેલેન્ડર જારી કરાશે રેલવેમાં ભરતી સંબંધિત નવી પ્રણાલીની જાહેરાત કરતા…
Mumbai ,તા.25 દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણાં શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે, તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા અનેક કોલેજો અને શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે. હાલ મળતા અહેવાલો મુજબ મુંબઈમાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે…
Surat,તા.25 સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે રાત્રે વિરામ લીધો હતો. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઇ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે. અને ક પરિવારો ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે…
America,તા.25 અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ભારતમાં જોખમ વધ્યું : અમેરિકા અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ વિભાગે કહ્યું કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં સાવચેતીમાં વધારો કરાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે.…
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઉપર પણ આક્ષેપો કરતાં મરિયમે કહ્યું : તે ટોળકી અરાજકતા ફેલાવવા અને રાજ્યને નુકસાન કરવા પર જ ધ્યાન આપે છે Lahore, Islamabad,તા.25 પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વવડા પ્રધાન ઇમરાનખાન ઉપર ગંભીર આક્ષેપો મુક્યા છે. તેઓએ કહ્યું ઇમરાનનાં નિવાસ સ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલિમ આપવા માટે થાય છે. ત્યાં પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવે છે, અને દેશમાં હુમલા કરવાની તાલિમ અપાઈ રહી છે. તેઓએ કહ્યું કે ૪ મહિના દરમિયાન ખાને ૯મી મે ૨૦૨૩ના દિવસે સરકારી મકાનો અને મુખ્ય સૈન્ય શિબિરો ઉપર હુમલાની યોજના ઘડી હતી ત્યારે પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફના (પીટીઆઈ)ના નેતાએ પોતાના પગમાં ઘા…