Author: Vikram Raval

New Delhi,તા.25 રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. મનોનીત સાંસદ સતનામ સિંહ સંધૂ ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી. અવિશ્વાસ કાયદા હેઠળ મનોનીત સાંસદ રાજ્યસભામાં નામાંકનની છ મહિનાની અંદર કોઈ પણ રાજકીય દળમાં સામેલ થઈ શકે છે. સંધૂ 30 જાન્યુઆરીએ મનોનીત થયા હતાં આ રીતે તેમની પાસે કોઈ પણ દળના સભ્ય બનવા માટે 30 જુલાઈ સુધીનો સમય હતો. તેમણે ભાજપનો હાથ પકડ્યો છે અને આ રીતે ભાજપની રાજ્યસભામાં 87 બેઠકો થઈ ગઈ છે. રાજ્યસભામાં ભાજપની શક્તિ આ પહેલા રાજ્યસભામાં ભાજપની સભ્ય સંખ્યા 86 પર આવી…

Read More

New Delhi,તા.25 કેન્દ્ર સરકાર તરફથી મંગળવારે રજૂ થયેલા બજેટમાં મોદી સરકારની સૌથી વધુ મહેરબાની આંધ્ર પ્રદેશ અને બિહાર રાજ્ય પર જોવા મળી છે. બંને રાજ્યો માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. જેને વિપક્ષ ખુરશી બચાવો બજેટ ગણાવી ટીખળ કરી રહી છે, તો બીજી બાજુ ટીડીપી અને જેડીયુ સહિત એનડીએ તેને ક્રાંતિકારી બજેટ ગણાવી રહી છે. વિપક્ષે નીતિશ કુમાર પર આરોપ મૂક્યો છે કે, નીતિશ કુમાર વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવા માટે આંદોલન કરવા તૈયાર હતા, તો તેઓ આ પેકેજથી જ સંતુષ્ટ કેમ છે. તેઓ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે, તેમજ તેમને જેલ જવાનો ભય પણ સતાવી રહ્યો છે. શું નીતિશ…

Read More

Himachal Pradesh,તા.25 ભાજપના બે સાંસદોના સાંસદ પદ પર હવે સંકટ મંડરાઈ રહ્યું છે. આ બંને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બંને જ ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે. આ બે સાંસદો પર સંકટ  મંડીથી લોકસભા સાંસદ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રણૌતે જીત મેળવી હતી. જોકે મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બંને કેસમાં અરજદારોએ ચૂંટણી પરિણામોને રદ કરવાની માગ કરી હતી છે. અપક્ષ ઉમેદવારે કંગના વિરુદ્ધ કરી આ ફરિયાદ  મંડીથી ઊભેલા અપક્ષ ઉમેદવાર રામ નેગીએ તેમનું નોમિનેશન…

Read More

Himachal Pradesh,તા.25 હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં (Manali Cloud Burst) ભારે નુકશાન થયું છે. અડધી રાતે પડેલા ભારે વરસાદ પછી આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર (Manali Flood) આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી થઈ ગઈ. વ્યાસ નદીનું જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદી આફત પછીના અનેક વીડિયો વાયરલ  મનાલીના સોલંગવેલી રિસોર્ટ નજીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે નાળામાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે. પૂરની લપેટમાં આવતાં બે મકાનો પણ…

Read More

સીબીઆઇએ તપાસની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટને આપી  પેપરની તસવીર લઇને બાદમાં કવરમાં પાછું મુકી દેવાયું, કોપી સોલ્વર ગેંગ પાસેથી કેટલાક ઉમેદવારો સુધી પહોંચી  પટનામાં બળેલા પેપરના ટુકડા પર લખાયેલા યુનિક સીરિયલ નંબરના આધારે લીકનું લોકેશન ટ્રેસ કરાયું   New Delhi,તા.25 આ વર્ષે મે મહિનામાં લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર કેવી રીતે લીક કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. સીબીઆઇએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે બિહારના પટના અને ઝારખંડના હઝારીબાગમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. પટનામાં લીક પેપરની કોપીનો નાશ કરવા તેને બાળવામાં આવ્યું હતું, જેના ટુકડા તપાસ ટીમને મળી આવ્યા હતા. પેપર પર યુનિક…

Read More

Ahmedabad, તા.25 અમદાવાદના લોકોએ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ધ્યાન રાખવુ પડશે. જન્મના સર્ટિફિકેટ લીધા બાદ માત્ર એક જ વખત એક જ બાબતનો સુધારો થઈ શકશે.નામ સુધારવુ હોય અથવા માતા-પિતાના નામ કે પછી સરનામુ વગેરે બાબતમાં મ્યુનિસિપલ તંત્ર હવે એક જ વખત સુધારો કરી આપશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો  મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરુ કરવામાં આવ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહયુ, જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નકકી કરવુ પડશે કે તેને ચોકકસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે.તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવુ…

Read More

Surat, તા.25 સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 13.15 ઇંચ, પલસાણામાં 9.25 ઈંચ, માંગરોળ અને બારડોલીમાં 9 ઈચ વરસાદને પગલે જિલ્લાના 132 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં 9.9 ઈંચ અને નવસારી વાંસદામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે. પાંચ જિલ્લામાં 300 વધુ…

Read More

Gujarat , તા.25  ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 23 પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ 117 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3ની સાથે કુલ મરણાંક વધીને 41 થયો છે. ચાંદીપુરાનાના કુલ 118 કેસ આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 118 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 10, ગાંધીનગર ગ્રામ્ય – અરવલ્લી – ખેડા – જામનગર – વડોદરા ગ્રામ્યમાં 6, છોટા ઉદેપુર – દાહોદ – નર્મદા – વડોદરા કોર્પોરેશન – સુરત કોર્પોરેશન – ભરૂચ -મહીસાગરમાં 2, મહેસાણામાં 7, રાજકોટ…

Read More

Gujarat , તા.25 ગુજરાતમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 8 ઈંચથી વધુ, તિલકવાડામાં 8 ઈંચ, પાદરામાં 8 ઈંચ, ભરૂચ અને ખેરગામમાં 7-7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 25મી અને 26મી જુલાઈની આગાહી આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25મી અને 26મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની…

Read More

America , તા.25 અમેરિકામાં ટેનેસીમાં ગેસ સ્ટેશનના ગુજરાતી ક્લાર્ક મીત પટેલની 10 લાખ ડોલરની લોટરીની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે લોટરીનું બીજાનું ઈનામ પોતે લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોટરી વિજેતાને લોટરી લાગી નથી તેવું ખોટું કહીને લોટરીની ટિકિટ ચોરતા કેમેરા કેદ થયો હતો. લોટરી વિજેતાએ મુરફીસબોરોમાં શેલના સ્ટેશન પર 23 વર્ષીય મીત પટેલ પાસેથી 20 ડોલરની ડાયમંડ અને ગોલ્ડ સ્ક્રેચ એમ બે લોટરીની ટિકિટ ખરીદી હતી. તેણે મીત પટેલને ટિકિટ ચેક કરવા આપી હતી. મીત પટેલ તેની એક ટિકિટ પરત કરી હતી અને તેમાં 40 ડોલરનું ઈનામ લાગ્યું હતું. ત્યારબાદ બીજી ટિકિટ પોતાની પાસે હતી જેમા તેને…

Read More