Author: Vikram Raval

Argentina, તા.25 વિશ્વમાં ફૂટબોલની રમત લોકપ્રિય છે. ઘણી વખત ફૂટબોલ મેચ દરમિયાન બબાલની ઘટના બની છે. તો ક્યારેક બે ટીમના સમર્થકો વચ્ચે ઘર્ષના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશિત થયા છે. ત્યારે હવે આવી જ એક ઘટના પેરિસ ઓલિમ્પિકમાં બની છે. આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચેની ગ્રુપ સ્ટેજની ચાલૂ મેચમાં જ મેદાનમાં જ દર્શકો દોડી ગયા હતા જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેલાડીઓને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું. આ કારણે મેચમાં વિવાદ સર્જાયો પેરિસ ઓલિમ્પિક ફૂટબોલમાં આર્જેન્ટીના અને મોરક્કોની પુરુષોની મેચમાં વિવાદ સર્જાયો હતો. મેચમાં આર્જેન્ટીનાએ સ્ટોપેજ ટાઈમમાં ગોલ ફટકારીને મેચ 2-2થી ડ્રો કરી હતી. જોકે મેચમાં રેફરીએ ઊમેરેલા ઈન્જરી ટાઈમથી નારાજ…

Read More

Ahmedabad, તા.25 નારોલમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં શાહવાડી ખાતે રસોઇ બનાવવા બાબતે દંપતી વચ્ચે તકરાર થઇ હતી જેમાં જમાવવાનું બનાવ્યું તેમાં મીઠું વધારે નાંખવાને લઇને  ઉશ્કેરાઇને પતિએ પત્નીની હત્યા કરી હતી. પતિએ પત્નીને ઢોર માર માર્યા બાદ પેટમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. શાહવાડી ગામમાં જમવવાનું  બનાવવા બાબતે દંપિત વચ્ચે તકરાર થતાં પતિએ છાતીમાં પાટું મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી :  ત્રણ બાળકો નિરાધાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં રહેતા લત્તાબહેન સંગાડા (ઉ.વ.35)એ નારોલ વિસ્તારમાં…

Read More

America, તા.25 તાજેતરમાં જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્ન ચર્ચામાં હતા. જેમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન કહી શકાય છે. પરંતુ આ પહેલા પણ વર્ષ 1971માં ઈરાનના છેલ્લા શાસક મોહમ્મદ રઝા શાહ પહેલવીએ એ સદીની સૌથી મોંઘી પાર્ટી આપી હતી. પાર્ટીમાં આશરે રૂ. 5,000 કરોડનો ખર્ચ  કુલ $100 મિલિયન એટલે કે વર્તમાન સમયના  રૂ. 5,000 કરોડની આસપાસ આ પાર્ટીમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પાર્ટીમાં 65 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના પ્રતિનિધિઓ એમ કુલ 600 લોકોએ હાજરી આપી હતી. જો કે,…

Read More

Anand, તા.25 આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ શહેર પાણીમાં ડૂબ્યું હતું. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઇંચ અને 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા શહેરનું જનજીવન ખોરવાયું હતું. વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નહોતા, નોકરિયાત વર્ગ નોકરીએ જઇ શક્યો નહતો તેમજ વેપાર-ધંધાવાળાઓએ પણ દુકાનો બંધ રાખી ઘરમાં જ પુરાઇ રહેવાની નોબત આવી હતી.બીજી તરફ આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર , આંકલાવમાં…

Read More

ભારતના ઘણા ભાગમાં બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ શનિનું ચંદ્રગ્રહણ જોવા મળ્યું. આ અદ્ભુત નજારો 18 વર્ષ બાદ જોવા મળ્યો. શનિ ચંદ્રગ્રહણની અદ્ભુત તસવીરો દિલ્હી અને પશ્ચિમ બંગાળથી સામે આવી છે. આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકોએ લૂનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન કહે છે. તે પહેલા માર્ચમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. શનિ ચંદ્રગ્રહણ 24 જુલાઈની મધ્યરાત્રિ 1.30 વાગ્યાથી શરૂ થયું. તેની 45 મિનિટ બાદ 1.45 વાગે ચંદ્રએ શનિ ગ્રહને સંપૂર્ણરીતે ઢાંકી દીધો. પછી 45 મિનિટ બાદ એટલે કે 2.25 વાગે શનિ ગ્રહ ચંદ્રની પાછળથી નીકળતો નજર આવવાનો શરૂ થયો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શનિનું ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર શનિને પોતાની ઓટમાં સંતાડી લે છે. શનિ…

Read More

Mumbai તા.25 બોમ્બે હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રૂપમાં કથિતરીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને લઈને બે લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવતાં બુધવારે કહ્યું કે આજકાલ લોકો ધર્મને લઈને સંવેદનશીલ થઈ ગયા છે. હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે વ્હોટ્સએપ મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે અને ત્રીજી વ્યક્તિ તેને મેળવી શકતી નથી તો એવામાં એ જોવું જોઈએ કે શું તે ભારતીય દંડ સંહિતા હેઠળ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને અસર કરી શકે છે. બેન્ચે કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક દેશ છે, જ્યાં તમામે બીજાના ધર્મ અને જાતિનું સન્માન કરવું જોઈએ પરંતુ સાથે જ લોકોએ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં પ્રતિક્રિયા કરવાથી બચવું જોઈએ. જસ્ટિસ વિભા…

Read More

શેરબજાર સળંગ પાંચમા દિવસે ઘટ્યા છે. સ્થાનિક સ્તરે બજેટમાં અપેક્ષાથી વિપરિત્ત જાહેરાતો બાદ વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 671 પોઈન્ટ જ્યારે નિફ્ટીએ પણ 24300ની ટેકાની સપાટી ગુમાવી હતી. આજે સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 671.05 પોઈન્ટ તૂટી 79477.83 થયો હતો. 10.47 વાગ્યે 391.51 પોઈન્ટ ઘટાડે 79757.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 10.47 વાગ્યે 100.25 પોઈન્ટ તૂટી 24313.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી  1 લાખ કરોડ ઘટી હતી. માર્કેટ બ્રેડ્થ સાવચેતીની સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3738માંથી 1823 શેર્સ સુધારા તરફી અને 1774 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા…

Read More

વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, Mumbai તા.25 દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર મુશળધાર વરસાદને પગલે અંધેરી સબવે પાણીમાં…

Read More

બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે New Delhi, તા.૨૪ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-૨૦૨૪ રજૂ કર્યું છે. આ બજેટ ૪૮ લાખ ૨૦ હજાર કરોડનું છે. આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રએ રાજનાથ સિંહના સંરક્ષણ મંત્રાલયને ૪ લાખ ૫૪ હજાર ૭૭૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે. જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ૧ લાખ…

Read More

ધ્રુવ રાઠીને ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા New Delhi, તા.૨૪ દિલ્હીની એક અદાલતે યુટ્યુબર ધ્રુવ રાઠીને ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. હકીકતમાં, બીજેપી નેતા સુરેશ કરમશી નખુઆએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાઠીએ તેમના વીડિયોમાં તેમને “હિંસક અને અપમાનજનક ટ્રોલ” કહીને તેમનું અપમાન કર્યું હતું. બાર અને બેંચના અહેવાલ મુજબ, દિલ્હીની સાકેત કોર્ટે રાઠીને ૨૯ જુલાઈએ સમન્સ જારી કર્યા છે. આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ કરી હતી. હવે આ મામલામાં આગામી સુનાવણી ૬ ઓગસ્ટના રોજ થશે. કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું…

Read More