Author: Vikram Raval

Ranchi, તા.24 રાંચીમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ભવનાથપુરથી ભાજપ ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહી દ્વારા હેમંત સોરેન પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. ભાનુપ્રતાપ શાહીના નિવેદનને ઝામુમો આદિવાસી અસ્મિતા સાથે જોડીને મુદ્દો બનાવવામાં લાગી ગયુ છે. આ દરમિયાન મંગળવારે ગઢવાના રમના પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ આ FIR ઝાઝુમો કાર્યકર્તા રાજેન્દ્ર ઉરાંવે નોંધાવી છે. પોલીસ એસટી-એસસી એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહીમાં લાગી ગઈ છે. આદિવાસી સીએમ પર અપમાનજનક ટિપ્પણીનો આરોપ એફઆઈઆરમાં ઝામુમો કાર્યકર્તા રાજેન્દ્રએ આરોપ લગાવ્યો કે રાંચીમાં પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહીએ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.…

Read More

Vadodara, તા.24 વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી. માત્ર બે ઇંચ વરસાદમાં…

Read More

Surat, તા.24 સુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે માફિયા ગેંગની કલમ દબાણના કારણે લગાવવામાં ન આવી હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. જો આ પ્રકારનો આરોપ લગાવવામાં આવે તો આરોપીની મિલકત સરકારમાં જમા કરવી પડે તેમ છે. પરંતુ ડ્રગ્સ માફિયાની મિલકત બચાવવા માટે ભાજપના નેતાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓએ રાજ્ય સરકારના ગૃહમંત્રી બચાવી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપ કર્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી હતી. તેમાં સુરતના ડ્રગ્સ કેસમાં રાજ્યના ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પત્રકાર પરિષદમાં તેઓએ…

Read More

શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં નથી આવી. શુભમન ગિલને ODI અને T20નો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા જે T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન હતો તેને T20 ફોર્મેટમાં એક ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. Delhi, તા.24 પંડ્યાએ ODIમાં પોતાના વ્યક્તિગત કારણોસર હાજર ન રહી શકવા અંગે BCCIને જાણકારી આપી હતી. ત્યારબાદ તે કેપ્ટન્સીની રેસમાંથી બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ કેવી રીતે ભારતીય T20 ફોર્મેટમાં કેપ્ટન બની ગયો અને હાર્દિક પંડ્યા કેવી રીતે રેસમાંથી બહાર થઈ ગયો તે અંગે ક્રિકેટ પંડિતો વચ્ચે ખૂબ ડિબેટ ચાલી રહી છે. જોકે, સોશિયલ…

Read More

Delhi, તા.24 અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ અગ્નિવીરોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. અગ્નિવીરો ચાર વર્ષની સેવા બાદ નિવૃત થઈ જાય છે અગ્નિવીર હેઠળ ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ સશસ્ત્ર દળોમાં નિમણૂકની નવી કેટેગરી છે. જે અંતર્ગત 75 ટકા ભરતી થયેલા અગ્નિવીર ચાર વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત થઈ જાય છે. બાકીના 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સરકારે…

Read More

Jamnagar તા.24 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આ રોગચાળો પણ ધીરે-ધીરે પગ પ્રસરાવી રહ્યો છે.  જામનગર શહેર અને લાલપુરમાંથી ચાંદીપુરા વાયરસના એક-એક શંકાસ્પદ કેસ સામે આવતા બન્ને બાળદર્દીને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ દાખલ વધુ બે બાળદર્દીના રિર્પોટ નેગેટીવ આવ્યા છે છતા સ્થિતિ ગંભીર હોવાથી આરોગ્ય તંત્ર માટે ચિંતાની સ્થિતિ યથાવત છે. જામનગર તાલુકાના સિકકા ગામની 6 વર્ષની બાળકી અને લાલપુર તાલુકાના પડાણાની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરા રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગઇકાલે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સીન્ડીકેટ સોસાયટીમાં રહેતા 5 વર્ષીય બાળક અને લાલપુરના 11 વર્ષ…

Read More

Delhi તા.24 ભારતીયોમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ હોય છે તેમાં ગુજરાતીઓમાં આ ક્રેઝ સૌથી વધારે જોવા મળતો હોય છે આ બિલ HR 9023 છે જેને કીપ STEM ગ્રેજ્યુએટ્સ ઈન અમેરિકા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલનો હેતું H-1B વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અને દર વર્ષે ઉપલબ્ધ વિઝાની સંખ્યામાં વધારો કરવાનો છે. ઘણા ઈન્ડિયન્સ સ્ટુડન્ટ વિઝા પર જાય છે અને બાદમાં ત્યાં જોબ કરીને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરતાં હોય છે. હવે અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં રહેવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. મિશિગનના ભારતીય-અમેરિકન ક્રોંગ્રેસમેન શ્રી થાનેદારે એક બિલ રજૂ કર્યું છે જે અભ્યાસ પૂરો કર્યા…

Read More

416715 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ Ahmedabad, તા.24 મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપી હતી. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -101 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 10, અરવલ્લી 6, મહીસાગર 2, ખેડા 6, મહેસાણા 6, રાજકોટ ના 4, સુરેન્દ્રનગર 3, અમદાવાદ કોર્પોરેશન 9, ગાંધીનગર 6, પંચમહાલ 14, જામનગર 5, મોરબી 5,…

Read More

New Delhi,,તા.24 ભારતે ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ હેઠળ કેન્દ્રીય બજેટ 2024-25માં ભૂતાનને સહાયનો સૌથી મોટો હિસ્સો આપ્યો છે. હિમાલયન રાષ્ટ્રને આ નાણાકીય વર્ષમાં 2,068 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગત નાણાકીય વર્ષમાં ભુતાનમાં વિવિધ યોજનાઓ માટે 2400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તે જ સમયે, બાંગ્લાદેશને વર્તમાન સામાન્ય બજેટમાં 120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ગયા નાણાકીય વર્ષમાં 200 કરોડ રૂપિયા હતા. હાલમાં બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે અશાંતિ જોવા મળી રહી છે. 2024-25ના કેન્દ્રીય બજેટમાં મોરેશિયસ માટે નાણાકીય સહાયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેના માટે 370 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. ગયા નાણાકીય વર્ષમાં આ રકમ 400…

Read More

24 કલાકમાં વધુ 22 ડેમોમાં 0.5 થી 6.5 ફુટ નવા નીરની આવક : રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થઇ ગયો Rajkot , તા.24 છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થયા છે અને સતત ધોધમાર વરસી રહ્યા છે. આથી જળાશયોમાં પણ પ્રચંડ રીતે નવા નીરની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રનાં 83 પૈકી 31 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે. આ અંગેની સિંચાઇ વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, ન્યારી-2 અને ભાદર-2 સહિત કુલ 8 ડેમો ઓવરફલો થઇ ગયા છે. જયારે મોરબીનો મચ્છુ-3 અને જામનગર જિલ્લાના સસોઇ, પન્ના, ફુલઝર-1 અને 2,…

Read More