- Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
- Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
- Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
- Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
- હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
- Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
- TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
Author: Vikram Raval
બિહાર – આંધ્રપ્રદેશને સાચવી લીધા બાદ હવે વિધાનસભા ચૂંટણી ધરાવતા મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જેવા રાજયો માટે સ્વાતંત્ર્ય દિને ખાસ પેકેજ આપવાની રણનીતિ New Delhi,તા.24 કેન્દ્રની મોદી સરકાર 3.0 ના પ્રથમ સામાન્ય બજેટમાં ગઠબંધન સરકારની છાપ સ્પષ્ટ રીતે જોવા મળી છે.સરકારે બજેટથી ન માત્ર પોતાના ગઠબંધનને મજબુત કર્યું છે.બલકે પોતાના સમર્થક વર્ગને પણ સાવધાની પૂરી કરવાની કોશીશ કરી છે. જોકે આ બધાની વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીવાળા રાજયોની વધુ ચિંતા નથી જોવા મળી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને અને હરીયાણાનો બજેટમાં ઉલ્લેખ નથી થઈ શકયો. અલબત ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરનું નામ તો આવ્યું પણ ચૂંટણીની દ્રષ્ટિએ તેને લોભાવવાની કોશીશ નથી કરાઈ. બજેટ પર લોકસભા…
ગુજરાત સહિતના રાજયો માટે ભારે વરસાદની ચેતવણી: મુંબઈના દરિયામાં હાઈટાઈડનુ એલર્ટ New Delhi,તા.24 આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.હવામાન વિભાગે દિલ્હી અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી એનસીઆરની સવાર આજે ભારે વરસાદ સાથે શરૂ થતોએ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આઇએમડીએ મુંબઈ અને દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસું ફરી સક્રિય થવાને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહેશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.…
એક ત્રાસવાદી ઠાર: કેટલાંકને ઘેરી લેવાયાનો નિર્દેશ Jammu and Kashmir,તા.24 જમ્મુ-કાશ્મીરના કુપવાડા રાજૌરી અને પુંછમાં સુરક્ષા દળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી ઠાર થયો હતો. જયારે પુંછમાં એક જવાન શહીદ થયો હતો. કુપવાડા ક્ષેત્રમાં મંગળવાર રાત્રીથી ચાલુ અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. 24 જુલાઈએ સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી અને પડકારાઈ હતી. જેથી આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરાતા સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. આ ઉપરાંત પુંછમાં ઘુસણખોરીનુ ષડયંત્ર નિષ્ફળ બનાવાયુ હતું. ભારત-પાક એલઓસી પર કૃષ્ણા ઘાટના બટ્ટલમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળોએ સીમાપારથી ઘુસણખોરીને નિષ્ફળ બનાવાઈ હતી. આતંકીઓ સાથેની અથડામણ દરમ્યાન…
Mumbai,તા.24 T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ટીમના સભ્ય અક્ષર પટેલના સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. T20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં તેનાં દેખાવને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકશે નહીં. કારણ કે ભારતનો ટોપ ઓર્ડર જ્યારે ગબડી પડ્યો હતો અને શરૂઆતની ત્રણ મહત્વની વિકેટ્સ પડી ગઈ હતી ત્યારે અક્ષર પટેલે ઝડપી ઇનિંગ રમીને ટીમને સ્થિરતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સાથે જ ગયા વર્ષે ઇજાના કારણે વર્લ્ડકપ નહીં રમી શકવાનો અક્ષરનો રંજ પણ ઓછો થઈ ગયો હતો. અક્ષર પટેલે આ મામલે એક વર્તમાનપાત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘જ્યારે વન-ડે વર્લ્ડકપ 2023ની ટીમમાંથી ઇજાના કારણે બહાર થવું પડ્યું ત્યારે મારુ દિલ તૂટી…
Mumbai,તા.24 ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમ શ્રીલંકા સામે 3 મેચની વનડે અને T20 સીરિઝ રમશે. શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને 3 મેચની T-20 સીરિઝ રમશે. મનાઈ રહ્યું છે કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારતીય ટીમથી ઘણાં સમયથી દૂર રહેલા મોહમ્મદ શમી અને ઈશાન કિશનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં રમવાની તક મળી શકે છે. બુમરાહ બની શકે છે કેપ્ટન શ્રીલંકાના પ્રવાસ માટે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેણે વર્ક લોડને મેનેજ કરવા માટે…
Bihar,તા.24 બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ લાવવા જઈ રહી છે. આ બિલ બુધવારે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે. બિલની મુખ્ય જોગવાઈઓ શું છે? પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતીશ કુમારની સરકાર આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કરશે. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકો આ કાયદા હેઠળ દોષિત…
Nepal,તા.24 નેપાળના કાઠમંડુ (Kathmandu)માં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે પાયલટનો બચાવ થયો છે જેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટેક્નિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે (24 જુલાઈ) કાઠમંડુના ત્રિભુવન (tribhuvan airport) એરપોર્ટ પર શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રનવે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, ટેકઓફ…
Pakistan,તા.24 પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત (ખૈબર-પખ્તુનવા પ્રાંત)માં આવેલા કબાઇવી વિસ્તારમાં ન ઓળખાયેલા ત્રાસવાદીઓએ એક સરકારી ગર્લ્સ સ્કૂલને સોમવારે રાત્રે પ્રબળ વિસ્ફોટકો દ્વારા ઉડાડી મુકી હતી.પાકિસ્તાનમાં ૨૧મી સદીમાં પણ એવા કટ્ટરપંથી ત્રાસવાદીઓ રહે છે જેઓ માને છે કે, છોકરીઓને ભણાવવી જ ન જોઈએ. છોકરીઓ મોટી થઈ વધુ આગળ ભણે તો તેઓ માથાભારે થઈ જાય પરિણામે પોતાના માતા-પિતા કે વડીલોના કાબુમાં ન રહે તો બીજી તરફ લગ્ન પછી પતિ કે સાસરિયાના દાબમાં ન રહે, આથી સમાજમાં અશાંતિ ઉભી થઈ જાય. આ અર્થહીન માન્યતા સામે વિચારકો કહે છે કે, જે દેશ એક તરફ બોંબ અને મિસાઇલ્સ બનાવે છે. તો બીજી તરફ સમાજની અર્ધો-અર્ધ…
Addis Ababa,તા.24 આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું. સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ…
નારિયેળીના ઉલ્લેખથી કમલાએ ભારતને સંભાર્યું 2023ના પ્રવચનમાં પણ તેઓએ પૂછયું કે, તમે એવું વિચારો છો કે તમો નારિયેળીનાં વૃક્ષ ઉપરથી જાણે કે હમણાં જ પડી ગયા છો ? Washington, તા.24 અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી તેઓનાં પહલા જ પ્રવચનમાં ભારત સાથેના તેઓના સંબંધો યાદ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે જાણે તમો હમણા જ નારીયેળના વૃક્ષ ઉપરથી પડી ગયા છો. આ શબ્દોના અનેકાનેક ગૂઢાર્થો નીકળી શકે, પરંતુ તેનો ધ્વનિ તે દર્શાવે છે કે તેઓ તેમના અને તેઓના માતૃપક્ષના ભારત સાથેના સંબંધો હજી ભૂલી શકયા નથી.…