- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
Author: Vikram Raval
New Delhi,તા.23 ખાંસીથી રાહત મેળવવા માટે આપણે જે સિરપનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સિરપ આપણને મોતના મોઢામાં ધકેલી રહી છે. કફ સિરપને લઈને ભારતની ફાર્મા કંપનીઓ પર વિશ્વના ઘણા દેશોમાં સવાલ ઉઠ્યા બાદ હવે સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછી 100 કફ સિરપ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. આ ટેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવ્યા હતા. ઘણી સિરપમાં ઝોરી પદાર્થ મળી આવ્યા છે. આ એ પદાર્થો છે જે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં બાળકોના મોત સાથે સબંધિત કફ સિરપમાં મળી આવ્યા હતા. સરકારી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ રિપોર્ટ…
Mumbai,તા.23 બદલાતા જતા સમય સાથે ક્રિકેટમાં પણ નવા નિયમો અમલી બની રહ્યાં છે. બે ઓવર વચ્ચેના સમયથી લઈને, બેટ્સમેનને ક્રિઝ પર પહોંચી દડો રમવા માટે તૈયાર રહેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ તમને કહેવામાં આવે કે ક્રિકેટમાં હવે Maximum Runs એટલેકે સિક્સર પર જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તો તમે કહેશો કે અમે ખોટું બોલી રહ્યાં છીએ. આગળ તમને કહીશું કે જો બેટ્સમેન સિક્સર મારશે, તો તેને આઉટ આપવામાં આવશે તો તો ચોક્કસથી તમે કહેશો કે આ બીજી દુનિયામાં જ જીવી રહ્યાં છે પરંતુ આ હવામાં થતી વાતો નથી. ક્રિકેટના મેદાનમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને તે…
Mumbai,તા.23 ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં છે. ટીમે જૂનમાં જ રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ 2024 ખિતાબ જીત્યો. તે બાદ શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને તેના જ ઘરમાં 5 મેચની ટી20 સિરીઝમાં 4-1 થી હરાવ્યું. હવે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે, જે માટે સ્કવોડ પણ જાહેર કરી દેવાઈ છે. પરંતુ આ સૌની વચ્ચે એક સવાલ ઉઠે છે, જે ઓપનર પૃથ્વી શો ને લઈને છે. એક સમયે અમુક ચાહકો અને દિગ્ગજોએ આ સ્ટાર પ્લેયરની તુલના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે પણ કરી દીધી હતી પરંતુ હવે આ 24 વર્ષનો યુવાન સ્ટાર ક્યાંક ગુમ થઈ ગયો…
Mumbai,તા.23 ભારતીય ટીમ આગામી સીરિઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં ટીમ શ્રીલંકા સામે 3-3 વનડે અને T20 મેચની સીરિઝ રમશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઘરઆંગણે અનેક ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. આ લાંબી ટેસ્ટ મેચો માટે ભારતની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન પણ ત્રણ ખેલાડીઓને રમવાની તક નહીં મળે. કારણ કે ઘણાં લાંબા સમયથી ટીમમાં પસંદગી માટે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને હવે ત્રણેય ખેલાડીઓની ઉંમર પણ વધી રહી છે. માટે એવી શક્યતા છે કે તેઓ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ…
Mumbai,તા.23 તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપમાં ભારતને ખિતાબ જીતાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેલાડી હાર્દિક પંડ્યાને આગામી શ્રીલંકા પ્રવાસમાં સામેલ તો કરાયો પરંતુ તેને T20ની કેપ્ટનશિપ આપવામાં આવી નથી. એવી આશા રખાઈ રહી હતી કે રોહિતની નિવૃત્તિ બાદ T20 ફોર્મેટની કમાન હાર્દિકને આપવામાં આવશે. પરંતુ આમાંથી કશું થયું નહીં. ગંભીર ટીમનો કોચ બન્યા બાદ હાર્દિક પંડ્યાનું પત્તું ટીમમાંથી કપાઈ શકે છે. તેના સ્થાને ગંભીરના નજીક મનાતા ખેલાડીને ભારતીય ટીમમાં તક મળી શકે છે. હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી નથી રોહિતની કેપ્ટનશિપમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળતી હતી. હિટમેનની ગેરહાજરીમાં પંડ્યા ઘણી વખત કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે પંડ્યાની જગ્યાએ…
America, તા.23 અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાંથી જો બાઇડેન ખસી જતાં હવે ડેમોક્રેટિક પાર્ટી કોને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર છે. બાઇડેને ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ સૂચવતાં કમલા પ્રબળ દાવેદાર છે પણ તેમની સામે ગળાકાપ સ્પર્ધા છે. અંતિમ નિર્ણય શિકાગોમાં 19 ઓગસ્ટથી યોજાનારા ડેમોક્રેટિક પાર્ટીના વાર્ષિક નેશનલ કન્વેન્શનમાં થશે. ડેમોક્રેટિક પાર્ટીના 4000 ડેલીગેટ્સ કોને ઉમેદવાર બનાવવા તેનો અંતિમ નિર્ણય લેશે. કમલા હેરિસ સામે અત્યારે સૌથી મોટો પડકાર મિશેલ ઓબામાનો મનાય છે. આ સિવાય પ્રમુખપદ માટેની રેસમાં અન્ય પણ દાવેદારો મેદાનમાં છે. આ દાવેદારો કોણ કોણ છે તેના પર નજર નાંખી લઈએ. કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ કમલાને બાઇડેન સિવાય બીજા…
New Delhi,તા.23 ભારતીય હવામાન વિભાગે આજે દેશભરમાં હવામાન કેવું રહેશે તે અંગે અપડેટ જાહેર કર્યું છે. IMDની આગાહી અનુસાર, આજે (23મી જુલાઈ) ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રમાં 24મી જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં 24મી જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 25મી અને 26મી જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 23મી અને 24મી જુલાઈએ મધ્યપ્રદેશ અને…
Rajkot ,તા.23 રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ, માણાવદરમાં 10 ઈંચ અને વિસાવદરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં…
Ahmedabad,તા.23 અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા. ટ્રાફિક પોલીસ-આરટીઓ ઓથોરીટીને હાઈકોર્ટે આડા હાથે લીધા જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક તબક્કે એટલી હદે માર્મિક ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઈ રહ્યા છે. હાઈકોર્ટે ટ્રાફિકની ખાડે ગયેલી સમસ્યાઓને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના…
Gandhinagar ,તા.23 સતત હરણફાળ ભરી રહેલી ટેક્નોલોજીથી ફૂડ ડિલિવરી-ટિકિટ બૂકિંગથી માંડીને બેન્કિંગના વ્યવહાર પણ એક ક્લિક દૂર થઈ ગયા છે. અલબત્ત ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નાની એવી ગફલતથી પણ પરસેવાની કમાણી ગણતરીની – મિનિટમાં સફાચટ થઈ શકે છે. ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ ગુમાવ્યા છે. છેતરપિંડીની રકમમાં પાંચ ગણો વધારો થયો ગુજરાતમાં ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે તેમ ફ્રોડના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. નાણકીય વર્ષ 2019-20માં ઓનલાઈન છેતરપિંડીની કુલ માત્ર 51 ઘટના હતી અને તેમાં ગુમાવ્યા હતા. આ પછી લોકોએ રૂપિયા 2.87 કરોડ 2020-21માં આ…