- Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
- Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
- Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
- Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
- Upleta માં’તારા બાપનો રોડ નથી’ કહી વિદ્યાર્થીને ફડાકા ઝીંકાયા
- Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ
- Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો
- Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી
Author: Vikram Raval
આ વખતે ઈઝરાયેલના હુમલાથી ભૂમધ્ય સમુદ્રના કિનારે લગભગ ૬૦ ચોરસ કિલોમીટરના અંતરે આવેલા સલામત ક્ષેત્રને અસર થઈ છે Gaza , તા.૧૭ મંગળવારે રાત્રે દક્ષિણ અને મધ્ય ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૬૦ થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા હતા. આ સિવાય ઈઝરાયેલ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષિત વિસ્તાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ઈઝરાયેલના હુમલા અંગે માહિતી આપી છે.પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયલ પર આરબ મધ્યસ્થી અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામ કરારને પાટા પરથી ઉતારવા ગાઝામાં હુમલાઓ તીવ્ર બનાવવાનો આરોપ મૂક્યો છે. જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે તે હમાસના આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાનો પ્રયાસ કરી…
હિના કહેવા માગે છે કે તેની સારવાર ચાલતી હોય તેનો મતલબ એવો નથી કે હું હંમેશા દવાખાનામાં જ હોઉં છું Mumbai, તા.૧૭ હિના ખાન હાલ ત્રીજા સ્ટેજના કેન્સર સામે લડી રહી છે, પરંતુ તે પોતાનો કામ કરવાનો ઉત્સાહ ઓસરવા દેતી નથી. એક તરફ તેની સારવાર આગળ વધી રહી છે અને બીજી તરફ તે એક પછી એક કામ હાથ પર લઈ રહી છે. તેણે કહ્યું કે આ બીમારીને પણ સહજતાથી લેવાની જરૂર છે. હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે તે કઈ રીતે કામ કરે છે, તેની ટીમ કઈ રીતે તેના ઘાવ છૂપાવે છે અને તે વિગ…
લાંબા સમયથી તે આ સમયની રાહ જોઈ રહી હતી અને જે જોઈતું હતું, તે મળી ગયું છે Mumbai, તા.૧૭ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ૨૩ જૂને મુંબઈમાં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ સોનાક્ષી પોતાની ફિલ્મ ‘કાકુડા’ના પ્રમોશનમાં બિઝી હતી, જેના કારણે તેઓ લાંબા હનીમૂન પર જઈ શક્યા ન હતા. સોનાક્ષી બીજા હનીમૂન માટે ફિલિપાઈન્સ પહોંચી છે. સોનાક્ષી અને ઝહીર સાત વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા. સોનાક્ષીનું માનવું છે કે, ઝહીર સાથે વહેલા લગ્ન થયા હોય તો ઘણું સારું રહેત. જો કે ‘લેટ ઈઝ બેટર ધેન નેવર’ કહીને તેણે મન મનાવ્યુ હતું. ઝહીર ઈકબાલ સાથે લગ્ન પહેલાથી જ સોનાક્ષીએ પોતાના સંબંધો અંગે…
અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા Mumbai, તા.૧૭ જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ સામાન્ય રીતે વખણાતી હોય છે. સોમવારે એક ઇવેન્ટમાં જાન્હવીની ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણાં લોકોને અતરંગી કપડાં પહેરી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ હતી. જાન્હવી બ્લૅક એન્ડ વ્હઇટ કલરનો એક બાલમેઇન બ્લેઝર ડ્રેસ પહેરીને નીકળતાં સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. જાન્હવીની આવનારી ફિલ્મ ‘ઉલઝ’ના ટ્રેઇલર પ્રિવ્યુની આ ઇવેન્ટ હતી. જેમાં ફિલ્મના ડિરેક્ટર સુધાંશુ સરીયા, તેમજ ફિલ્મના કલાકારો ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ માટે જાન્હવીએ એક બ્લૅક એન્ડ વ્હાઇટ બ્લેઝર પેટર્ન…
Islamabad,તા.૧૬ પાડોશી દેશ પાકિસ્તાનની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો ’પેટ્રોલ’ બોમ્બ ફૂટ્યો છે.પાકિસ્તાન સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.પાકિસ્તાનની રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં ૯.૯૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ પછી પેટ્રોલની કિંમત ૨૭૫.૬૦ રૂપિયા થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં ૬.૧૮ રૂપિયાનો વધારો થયો છે, જે પછી ડીઝલ ૨૮૩.૬૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આના માત્ર ૧૪ દિવસ પહેલા એટલે કે ૧ જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭ અને ૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુને…
Mumbai,તા.૧૬ વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું, જે ખૂબ જ મનોરંજક હતું. જે બાદ આ પિક્ચરના ત્રણ ગીતો પણ રિલીઝ થયા હતા. હવે આ ફિલ્મ ૧૯ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. વિકી આ દિવસોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ તે પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યો હતો, જ્યાં તેણે દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી. ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ જોવા મળશે. આ બંને દિલ્હી મેટ્રોમાં વિકી સાથે પણ જોવા મળ્યા હતા. ત્રણેયનો એક વીડિયો સામે આવ્યો…
Palanpur,તા.૧૬ પાલનપુરમાં અપહ્યત બાળકની લાશ મળી આવી છે. ૧૧ વર્ષના બાળકની રીતસરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે. ટોકરિયામાં ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.રાત્રે ગામની સીમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવના પગલે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સમગ્ર ગામમાં તેના લીધે ભારેલો અગ્નિ છે અને તેથી પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. પોલીસની વધુ એક ગુમક ત્યાં ગોઠવી દેવામાં આવી છે. બાળકની હત્યાના લીધે ગામમાં જબરદસ્ત આક્રોશ છે. મોહમ્મદ શેરશિયા નામના ૧૧ વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવી છે. ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી તેની…
Rajkot,તા.૧૬ રાજકોટ પડઘરીમાં લાશ મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. વેજાગામના જયદીપ મેરિયાની લાશ ઢોકળીયામાં મળી આવી હતી. મામાની પુત્રીને તે પ્રેમ કરતો હોવાથી હત્યા કરવામાં આવી છે. તેની ધોકા-પાઇપના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. યુવક મામાની પુત્રીને પ્રેમ કરતો હતો. પોલીસે ચાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પડઘરી ખાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મામા ગોવિંદ મૂછડિયા, મામી કંચનબેન, મામાનો પુત્ર પ્રવીણ અને રસિકભાઈ સામે હત્યાની ફરિયાદ દાખલ થઈ છે.દસ દિવસ પહેલાં જ જયદીપ અને તેના મામા ગોવિંદભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતક જયદીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો. અગાઉ પણ મામા અને જયદીપ વચ્ચે માથાકૂટ…
Bharuch,તા.૧૬ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. બનાવ સંદર્ભે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા આ બે શખ્શોએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. ૬૫ વર્ષીય નઝીરભાઇ હુસેનભાઇ મલેક અને ૬૧ વર્ષીય ધનસુખભાઇ ચીમનલાલ વૈધ અંકલેશ્વર નજીકથી કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર એમ એમ રાઠોડની ટીમને મળી આવ્યા હતા. બંને જે કારમાં જતા હતા તે…
Chandigarh,તા.૧૬ ૧૦ જુલાઈના રોજ ત્રણ લોકોએ રવિન્દ્ર સૈનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જનનાયક જનતા પાર્ટી નેતા રવિન્દ્ર સૈનીની હત્યા કેસમાં પોલીસે ચાર મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે. હાંસી પોલીસ અને એસટીએફની સંયુક્ત ટીમે ગુજરાતમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આરોપી શૂટર નથી. તેઓ માત્ર સૈનીની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતા. પોલીસ આ આરોપીઓના રિમાન્ડ લેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે હત્યાકાંડને અંજામ આપનારા શૂટરોને શોધી કાઢ્યા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. હવે સૈની હત્યા કેસનું પ્લાનિંગ કરનાર પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વિકાસ ઉર્ફે વિકીને પ્રોડક્શન વોરંટ…