- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
Author: Vikram Raval
Gandhinagar, તા.16 રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી…
New Delhi તા.16 શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. 10 જુલાઈના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. કેદારધામ ટ્રસ્ટ મંદિર બુરારીમાં તેનું નિર્માણ કરાવી રહ્યા હોવા છતાં પૂજન બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડી કેદાર ખીણમાં તેના અંગે નારાજગી વ્યક્ત થઈ છે. કેદારનાથ ધામ સાથે જોડાયેલા પંડિતો અને પૂજારીઓમાં રોષ છે. તેમનું કહેવું છે કે કેદારનાથ ધામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે, આવી સ્થિતિમાં બાબા કેદારનાથનું મંદિર બીજે ક્યાંક બનાવવું એ યાત્રાની ગરિમાની વિરુદ્ધ છે અને ધામ પ્રત્યેની લોકોની આસ્થા પર પણ હુમલો છે. શંકરાચાર્ય…
Srinagar,તા.16 કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રાસવાદી પ્રવૃતિ વધી ગઈ હોય તેમ આજે વધુ એક અથડામણ થઈ હતી અને તેમાં ભારતીય સૈન્યના કેપ્ટન રેન્કના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. આ ઘટનાથી કેન્દ્ર સરકાર સમસમી ગઈ છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ડોડાથી 55 કી.મી. દુર ડેસા વન ક્ષેત્રમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય રાઈફલ તથા જમ્મુ-કાશ્મીરની સ્પેશ્યલ પોલીસ ટીમ દ્વારા પીછો કરીને સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રાસવાદીઓએ એકાએક ગોળીબાર શરૂ કરી દેતા સામસામી જોરદાર અથડામણ થઈ હતી. ત્રાસવાદીઓએ નાસી જવાના પ્રયાસમાં અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય જવાનો દ્વારા પણ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો.…
Rajkot, તા.15 છેલ્લા 10 દિવસથી જુગારીઓ પોલીસથી બચવા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જુગાર કલબ ચલાવતાં ’તા: છ વેપારી સહિતના શખ્સો 14 શખ્સો દબોચાયાક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા અને ટીમની કાર્યવાહી રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ પ્રભુ કૃપા ફાર્મ એન્ડ રીસોર્ટ વિલામાં ધમધમતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.2.63 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલા રિસોર્ટમાં ફરીવાર જુગાર કલબ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જસદણ, આટકોટ, સરધાર, રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા 14 શખ્સોને ઝડપી લીધાં હતાં. જેમાં છ વેપારી પણ સામેલ હતાં. દરોડાની…
આરોપી ધવલ તાળાએ ઉછીના રૂ।.10 લાખ લઈ તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો હતો Rajkot, તા.15 શહેરના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતા વેપારી ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા (રહે. જલારામ – 4, 150 ફુટ રીંગ રોડવ) નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક લખાણ રૂા.100નાં સ્ટેમ્પ પેપર ઉપર પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ અને આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત કરવાનાં હેતુથી રૂ.10 લાખનો પતિ – પત્નીના સંયુકત ખાતાનો ચેક આપેલ હતો. ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડ ઇનસફીસીયન્ટ’ નાં શેરા સાથે પરત ફરેલ. તેથી ફરીયાદી વેપારીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની ફોજદારી…
Mumbai, તા.16 મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં…
Gandhinagar, તા.16 ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે આ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના…
Jammu and Kashmir, તા.16 જમ્મુ-કાશ્મીરના GDP આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા જેથી તેઓ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપતા જણાવ્યું કે, ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પર્યાપ્ત પુરાવા છે કે, ઘણા લોકોએ સસલાં સાથે દોડવાની અને…
Uttar Pradesh, તા,16 દેશમાં સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી છે. 13માંથી માત્ર 2 બેઠક પર જ જીત હાંસલ કરનારી ભાજપ પોતાને જ દિલાસો આપી રહી છે કે, પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષનો જ દબદબો હોય છે. પરંતુ વાસ્તવમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. જ્યાં તે પોતે જ સત્તા પર છે. આ બેઠકો પર યોજાઈ હતી પેટાચૂંટણી ઉત્તરપ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અન કુંદરકીના ધારાસભ્યો આ વખતે લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હોવાથી આ ખાલી પડેલી નવ બેઠકો પર પેટાચૂંટણી…
America,16 સોમવાર, 15 જુલાઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ પદ માટે તેમણે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે. જેડી વેન્સ પણ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે, પરંતુ પાછળથી તેમના સહયોગી બન્યા અને લાંબા સમયથી તેમની સાથે પ્રચાર કરી રહ્યા છે. ટ્રમ્પે શું કહ્યું? આ બાબતે ટ્રમ્પે કહ્યું કે, લાંબા વિચાર-વિમર્શ અને અન્ય ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે. ભૂતપૂર્વ પ્રમુખે વેન્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના બાયોડેટામાં…