Author: Vikram Raval

Mumbai, તા.16 મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.અકસ્માતમાં ઇજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં…

Read More

Gandhinagar, તા.16 ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે આ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના…

Read More

Jammu and Kashmir, તા.16 જમ્મુ-કાશ્મીરના GDP આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા જેથી તેઓ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપતા જણાવ્યું કે, ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પર્યાપ્ત પુરાવા છે કે, ઘણા લોકોએ સસલાં સાથે દોડવાની અને…

Read More

Uttar Pradesh, તા,16 દેશમાં સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી છે. 13માંથી માત્ર 2 બેઠક પર જ જીત હાંસલ કરનારી ભાજપ પોતાને જ દિલાસો આપી રહી છે કે, પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષનો જ દબદબો હોય છે. પરંતુ વાસ્તવમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. જ્યાં તે પોતે જ સત્તા પર છે. આ બેઠકો પર યોજાઈ હતી પેટાચૂંટણી ઉત્તરપ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અન કુંદરકીના ધારાસભ્યો આ વખતે લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હોવાથી આ ખાલી પડેલી નવ બેઠકો પર પેટાચૂંટણી…

Read More

America,16 સોમવાર, 15 જુલાઈએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ પદ માટે તેમણે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સની પસંદગી કરી છે. જેડી વેન્સ પણ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે, પરંતુ પાછળથી તેમના સહયોગી બન્યા અને લાંબા સમયથી તેમની સાથે પ્રચાર કરી રહ્યા છે. ટ્રમ્પે શું કહ્યું? આ બાબતે ટ્રમ્પે કહ્યું કે, લાંબા વિચાર-વિમર્શ અને અન્ય ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે. ભૂતપૂર્વ પ્રમુખે વેન્સની સિદ્ધિઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના બાયોડેટામાં…

Read More

Gujarat તા,16 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન લેનારાઓએ હવે બાયોમેટ્રિક્સ ઓળખમાં ચહેરો પણ દર્શાવવો પડશે. અત્યાર સુધી ફિન્ગર પ્રિન્ટ અને આંખની કીકીની ઇમેજ લેવામાં આવતી હતી. હવે અરજી કરનારનો ચહેરો લેવામાં આવશે અને અરજી કરનારે પોતે જીએસટી કચેરીમાં હાજર પણ થવું પડશે. બોગસ બિલિંગના કેસો રોકવા માટે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યકરવેરા ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું. આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વઘુ સચોટ બનાવવા માટે આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને…

Read More

કર્મચારીઓને પગાર આપવાના પણ ફાંફા Gujarat તા,16 વાઈબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે, ચીફ ઓફિસરથી લઈને રોજમદારો-કાયમી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. નગરપાલિકા નાણાંકીય સધ્ધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના માટે પણ પૈસા નથી. મહત્ત્વનું છે કે, ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઇ પડતાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો-કાયમી કર્મચારીએ પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકા છે, 107 નગરપાલિકા એવી છે જેમાં ચીફ ઓફિસરથી માંડીને કાયમી કર્મચારીઓને પગારના ફાંફા છે. એક તરફ ભાજપના સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના દાવા કરી…

Read More

તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે Hyderabad, તા.૧૫ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહને ચાર અન્ય લોકો સાથે કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. કહેવાય છે કે આ વેચાણ માટે હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું. ઈડીએ ગત વર્ષે રકુલ પ્રીત સિંહને માદક પદાર્થોની તસ્કરી અને ઉપભોગ મામલામાં પૂછપરછ કરી હતી. આ સંબંધમાં તપાસ એજન્સીએ ૩૩ વર્ષિય અભિનેત્રીનું નિવેદન ૨૦૨૨ અને ૨૦૨૧માં નોંધ્યું હતું. અમન પ્રીત સિંહ, અનિકેત રેડ્ડી, પ્રસાદ, મધુસુદન અને નિખિલ દમન તરીકે ઓળખાયેલા તમામ પાં આરોપી…

Read More

Washington,તા.૧૫ રાષ્ટ્રપતિ જો બાઈડને હમણાં જ તેમની રીઇલેક્શન કેમ્પેઇન ફેરફાર શરૂ કયર્િ હતા. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ એટેક બાદ તેમના કામમાં ખલેલ પડી શકે છે કેમ કે, તેમનું લક્ષ્?ય હતું ટ્રમ્પનું જાહેર વર્તન વર્તન અને બીજા ગાળાના એજન્ડા તરફ ધ્યાન દોરવું. તેમની માનસિક તંદુરસ્તી અંગેની શંકાઓ દૂર કરવા બાઈડને શુક્રવારે ડેટ્રોઇટમાં લોકોને ઘણું ભાષણ આપ્યું. તેના લગભગ ૨૪ કલાક પછી, અને લગભગ ૨૦૦ માઇલ દૂર જ, બટલર, પેન્સિલવેનિયામાં ટ્રમ્પ્ની રેલીમાં ગોળી ચલાવવામાં આવી હતી, બાઈડનનું પહેલેથી જ મુશ્કેલીગ્રસ્ત અભિયાન હવે તે કેવી રીતે આગળ વધારે છે તે જોવું રહ્યું. રાજકીય હિંસા તેના કેસની દલીલ કરવાના બાઈડન પ્રયત્નોને…

Read More

Washington ,તા.૧૫ સાઉથ કોરિયાએ ચેતવણી આપી હતી કે જો નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો તો તે પાડોશી દેશના શાસનને નષ્ટ કરી દેશે. પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. નોર્થ કોરિયાના અગાઉના નિવેદનના જવાબમાં સાઉથ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યા પછી નોર્થ કોરિયાનું શાસન ટકી શકશે એવો કોઈ માહોલ નથી.વોશિંગ્ટનમાં સાઉથ કોરિયા અને અમેરિકાએ કોરિયન પેનિનસુલા પર ન્યુક્લિયર ડિટરન્સ એન્ડ ન્યુક્લિયર ઓપરેશન્સ માટે ગાઈડલાઈન્સ’ અપનાવી હતી. આ ગાઈડલાઈન્સ અપનાવ્યા બાદ નોર્થ કોરિયાએ તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી તેની નિંદા કરી અને ધમકી આપી કે સિઓલ…

Read More