Author: Vikram Raval

સોનારડી ગામે કારે બાઇકને ઠોકરે લેતાં ચાલકનું  મોત , પરિવારમાં શોક Jamjodhpur,24 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા આધેડનું જૂનાગઢથી પરત આવતી વેળાએ સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા ભરતભાઈ ધીરુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.43) નામના આધેડનું સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ જુનાગઢથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ઠોકરે લેતાં સોનારડી ગામે આધેડનું અકસ્માત સર્જાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજ્યું છે.બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Read More

નશાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં  લાગી  આવતા પગલું ભર્યું Rajkot,24 વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા આધેડને નશાની ટેવ હોવાથી પરિવારના સભ્યોએ ઠપકો આપતાં વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રહેતા  માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.50) નામના આધેડ ગઈકાલે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પ્રથમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડને નશો કરવાની ટેવ હોય જેથી પરિવારના…

Read More

ઘરમાંથી પાણી  ઉલેચતી વેળાએ પગ લપસી જતાં ઘવાતા સારવારમાં દમ તોડયો Junagadh,24 જૂનાગઢમાં વરસાદી પાણીનો નિકાલ કરવા જતા આધેડ ઘરમાં લપસી જતા ઇજા થવાથી સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ  રામા સહાની (ઉ.વ.51) નામના આધેડ ત્રણેક દિવસ પહેલા રાત્રે ઘરે હતા ત્યારે પાણીમાં પગ આવી જતા લપસી પડ્યા હતા જેના કારણે માથા અને શરીરના ભાગે ઇજા થવાથી પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે…

Read More

 શર્ટમાંથી બહાર કાઢતી વેળાએ સાપે અંગુઠાના ભાગે કરડી જતાં માસૂમે દમ તોડયો Rajkot,24 મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.સાપ બાળકના શર્ટમાં ઘૂસી જતા તેને બહાર કાઢતી વેળાએ દંશ માર્યો.બાળકનું રાજકોટ સારવાર લીધા પૂર્વે મોત નિપજ્યું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક ઘરે…

Read More

પિતા-પુત્રને રાજકોટથી ગોંડલ જતી વેળાએ નડ્યો અકસ્માત,પરિવારમાં કલ્પાંત Rajkot,24  રાજકોટ-ગોંડલ હાઇવે પર સડક પીપળીયા નજીક કાર ટ્રકમાં ઘુસી જતા પિતા-પુત્રને ઇજા થઇ હતી જેમાં 11 વર્ષના પુત્રને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ગોંડલમાં ચોક્સી સોસાયટીમાં રહેતા જગદેવસિંઘ વીરડે અને તેનો 11 વર્ષનો પુત્ર રણવીસિંઘ ગત તા.21ના રોજ રાજકોટ કોઈ કામ સબબ આવ્યા હતા અને પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે સડક પીપળીયા નજીક પિતાને ડ્રાઇવિંગ દરમિયાન ઝોકું આવી જતા કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી અકસ્માતના પગલે અન્ય…

Read More

સાત માસ પૂર્વે એસિડ પી લેનાર પરિણીતાએ સારવારમાં દમ તોડયો રાજકોટ,24  શહેરના કોઠારીયા સોલ્વન્ટમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ સાત મહિના પહેલા એસિડ પી લેતા સારવાર બાદ ઘરે હતી ત્યારે ગઈકાલે તબિયત બગડતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધારમાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી મૂળ યુપીની ગીતાબેન બબલુભાઈ પાલ (ઉ.વ.31) નામની પરિણીતાએ આજથી સાતેક મહિના પહેલા ઘરે હતી ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં સ્વસ્થ થઇ હતા રજા આપી દેવામાં આવી હતી. ગઈકાલે ફરી તબિયત બગડતા સિવિલના આઈસીયુમાં દાખલ કરવામાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી…

Read More

સસરાને કામે જવા મોડું થતું હોવાથી કુળવધૂને ચા બનાવવાનું કહેતાં પુત્ર ઉશ્કેરાઈ જાતે રસોડામાં ઘૂસી ગયો Rajkot તા 24 શહેરના માધાપરમાં રહેતા પ્રૌઢને પુત્ર સાથે ચા બનાવવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ કાનમાં બટકું ભરી લેતા લોહી નીકળતી હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત મુજબ માધાપરના સીંધોઈ નગર-2માં રહેતા અને પ્લબીંગનું કામ કરતા વિજયભાઈ રમણીકભાઇ તન્ના (ઉ.વ.58) નામના પ્રૌઢ સાંજે ઘરે હતા ત્યારે પુત્ર ચિરાગે ડાબા કાને બટકું ભરી લેતા લોહી નીકળવા લાગતા સિવિલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વિજયભાઈના કહેવા મુજબ પોતે પ્લબીંગનું કામ કરે છે અને પત્ની હયાત નથી.…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.290 અને ચાંદીમાં રૂ.287નો પ્રત્યાઘાતી સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.75ની વૃદ્ધિ કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.710ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11,559 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,621 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7.84 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં રૂ.51,187.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,558.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39620.78 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,790ના ભાવે ખૂલી, દિવસ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૯ સામે ૮૦૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૬૩ સામે ૨૪૪૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

ફિલ્મ જગતમાં શાહરુખનું શાનદાર પર્ફોર્મન્સ : સોનાના સિક્કા પર સન્માન મેળવનાર તે એકમાત્ર બોલિવૂડ અભિનેતા Paris, તા.૨૪ ગ્રેવિન મ્યુઝિયમ પેરિસે શાહરુખ ખાનના સન્માનમાં સોનાના સિક્કા બહાર પાડ્યાહવે શાહરુખ ખાનનું ચિત્ર સોનાના સિક્કા પર હશે, ફ્રાન્સની રાજધાની પેરિસના ગ્રેવિન ગ્લાસે તેમના સન્માનમાં સોનાના સિક્કા બહાર પાડ્યા છે તેમના માનમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. નામ, ખ્યાતિ, સ્ટારડમ, પૈસા અને સન્માન, બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને આમાંથી કોઈ પણ હાંસલ કરવામાં કોઈ કસર છોડી નથી. ૨૦૨૩ માં બેક-ટુ-બેક હિટ સાથે, અભિનેતા હવે ૨૦૨૫ માં મોટા પડદા પર પાછા ફરવાનો છે. જો કે, આ એક વર્ષના બ્રેકે તેના સ્ટારડમમાં કોઈ ઘટાડો થવા દીધો નથી.…

Read More