Jamnagarતા. ૪
જામનગર ના એક શખ્સે પ્રેમ સંબંધ માં આડખીલીરૂપ બનતી પાંચ વર્ષ ની બાળકી ની હત્યા કરી હતી.જે અંગે ની ફરિયાદ આરોપી શખ્સ ની પ્રેમીકાએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના એક મહિલાએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. આ વેળાએ તેણી સાથે પુત્રી રહી હતી. આ મહિલાનો વીરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ બંધાયા પછી વીરેને લગ્ન કરવા જણાવ્યું હતું પરંતુ આ મહિલાની પુત્રીને સાથે નહીં રાખવા કહ્યું હતું.
આ મામલે તે મહિલા અને વીરેન વચ્ચે વિખવાદ થયા પછી પાંચ વર્ષની બાળકી આડખીલી રૂપ બનતી હોવાથી વીરેન જાનકીદાસ રામાવતે આ બાળકીના પેટમાં બચકુ ભરી લઈ વેલણથી હાથ, પગ તથા માથામાં ઈજા પહોંચાડતા તે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
જે આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતાં સરકાર તરફથી રોકાયેલા મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ પરમારે દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી વીરેન જાનકીદાસ રામાવત ની જામીન અરજી ના મંજૂર કરી છે.