Bhavnagar, તા. 17
ભાવનગર નજીક ત્રાપજ ગામ નજીક આજે વ્હેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે. જયારે 22 જેટલા મુસાફરોને ઇજા પહોંચતા 108 ઇમરજન્સી દ્વારા તળાજા, ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો, આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે મૃતકોની મરણચીસોથી આક્રંદ ફેલાયું હતું.
આજે સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ સુરતથી રાજુલા જઇ રહેલ ખાનગી બસ એપલ ટ્રાવેલ્સ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ બાયપાસ પાસે બંધ પડેલા ડમ્પર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.
જેથી બસમાં બેસેલા મુસાફરો પૈકી છનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે 22 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થતા દેકારા-પડકારાથી વાતાવરણ ગાજી ઉઠયુ હતું.
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108 ઇમરજન્સી વાનનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢી હોસ્પિટલ રવાના કરવામાં લાગી ગયો હતો. આજુબાજુ વિસ્તારમાં આગેવાનો, ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ કામગીરીમાં જોડાયા હતા.
આ અકસ્માતમાં 22 જેટલા મુસાફરોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં તળાજાની સદભાવના હોસ્પિટલમાં 9, તળાજા સીએચસીમાં 12 અને નિલકંઠ હોસ્પિટલમાં 1 ને દાખલ કરવામાં આવેલ છે. જયારે છ વ્યકિતઓને ભાવનગર રીફર કરવામાં આવેલ છે.
અકસ્માતની જાણ થતા જ ભાવનગરના મેયર-પદાધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ તાત્કાલિક સારવારની સુચના આપી
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી.
ભરતભાઇ બારડ સહિત ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. સત્ર શરૂ હોવા છતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન થોડી થોડી વારે સંપર્ક કરીને ચિંતા જતાવી રહ્યા છે, ત્યારે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પણ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સાથે બનાવ અંગે ચર્ચા કરેલ. શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓએ દારુણ અકસ્માત અંગે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરીને પોતપોતાની માનવીય જવાબદારીઓ સંભાળવા લાગ્યા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલાનાં નામ
(1) જયશ્રીબેન મહેશભાઈ નકુમ (ઉ.38) રે.વાઘનગર તા.મહુવા
(2) છગનભાઈ કાળાભાઈ બલદાણીયા (ઉ.45) રે.રસુલપરા તા.ગીરગઢડા
(3) ચતુરાબેન મધુભાઈ હડીયા (ઉ.45) રે.કોટડી તા.રાજુલા
(4) ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.8) રે.મોરંગી તા.રાજુલા
(5) તમન્નાબેન ભરતભાઈ કવાડ (ઉ.7) રે.માંડણ તા.રાજુલા
(6) ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ (ઉ.4) રે.માંડણ તા.રાજુલા
►ઈજાગ્રસ્તોના નામોની યાદી
(1) રીનાબેન કલ્પેશભાઈ (ઉ.64) રે.મોરંગી તા.રાજુલા
(2) પ્રવિણાબેન ભરતભાઈ કવાડ (ઉ.30) રે.માંડણ તા.રાજુલા
(3) રમેશભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.35) રે.કોટડી તા.રાજુલા
(4) ભરતભાઈ કેશુભાઈ પરમાર (ઉ.35) રે. ગીરગઢડા
(5) વલ્લભભાઈ સોડાભાઈ મકવાણા (ઉ.27) રે. જામકા
(6) ભરતભાઈ કાળુભાઈ કવાડ (ઉ.40) રે.માંડણ તા.રાજુલા
(7) રમેશભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.37) રે.કોટડા તા.રાજુલા
(8) હકુભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.37) રે.કોટડી તા.રાજુલા
(9) મહેશભાઈ હાદાભાઈ નકુમ (ઉ.39) રે.વાઘનગર તા.મહુવા
(10) કાર્તિકભાઈ મહેશભાઈ નકુમ (ઉ.9) રે.વાઘનગર તા.મહુવા
(11) માધુભાઈ નાથાભાઈ હડીયા (ઉ.45) રે.કોટડી તા.રાજુલા
(12) સુખભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.45) રે.જાફરાબાદ
(13) સમજુબેન સુખાભાઈ બારૈયા (ઉ.40) રે.જાફરાબાદ
(14) નીમુબેન રે.મોરંગી તા. રાજુલા
(15) દયાબેન ઉમરાળીયા (ઉ.55) રે.ટીમાણા તા.તળાજા
(16) અશોકભાઈ ઉમરાણીયા (ઉ.60) રે.ટીમાણા તા.તળાજા
(17) મગનભાઈ રામજીભાઈ બલદાણીયા (ઉ.55) રે. ભાવેડ