ભાવનગર પશ્ચિમના ધારાસભ્યએ જણાવ્યું કે, ભાવનગર જન્મોત્સવ સમિતિના નેજા તળે છેલ્લાં નવ વર્ષથી ભાવનગર શહેરની સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી થાય છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અને પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જો કે, આ વર્ષે સતત ૧૦માં વર્ષે સમિતિ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ એપ્રિલ એમ સતત બે દિવસ સુધી શહેરના બોરતળાવ-કૈલાશવાટિકા ખાતે ભાવનગર કાર્નિવલ શિર્ષક તળે ભાવનગરના ૩૦૩માં જન્મદિવસની અનોખી અને રંગારંગ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સતત બે દિવસ સુધી શહેરને નવોઢાની જેમ શણગારવાની સાથે બન્ને દિવસ જાહેર જનતા અને નગરજનો માટે કૈલાસવાટિકા ખાતે નિઃશુલ્ક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાના હતા. પરંતુ, જમ્મુ- કશ્મીરના પહલગામમાં ગત મંગળાવરના રોજ થયેલાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મૃત્યુ થયા છે જેના શોકમાં આ વર્ષે પણ આ ઉજવણી મુલ્તવી રાખવામાં આવી છે. માત્ર અખાત્રિજના દિવસે ભાવનગરના રાજવીઓના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી સાદગીસભર ઉજવણી કરવામાં આવશે. તેમણે અંતમાં હતભાગી પરિવારને સાંત્વના પાઠવવા આને દુઃખની ઘડીમાં સમગ્ર ભાવનગર પરિવાર સાથે હોવાના સંદેશ સાથે આ ઉજવણી મોકૂફ રાખવામાં આવી હોવાનું તેમણે વિગતો આપતાં અંતમાં ઉમેર્યું હતું.
Trending
- Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
- Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?
- જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
- Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે
- Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી
- Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
- Ananya ની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું
- Love and War માં પ્રિયંકા ચોપરા આઈટમ સોંગ કરે તેવી ચર્ચા