Pune,તા.20
એરઈન્ડીયાની 100 મુસાફરો સાથેની પુનાથી દિલ્હી જતી ફલાઈટમાં ટેક ઓફ બાદ પક્ષી અથડાતા વિમાનને તુર્તજ વિમાની મથકે પરત લેવાયુ હતુ અને સલામત લેન્ડીંગ બાદ મુસાફરોને દિલ્હી પહોચાડવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
એરઈન્ડીયાની ફલાઈટ નં. એ.આઈ.2469 તેના નિર્ધારિત સમય મુજબ સવારે 5.31 કલાકે રવાના થયા બાદ થોડાજ સમયની ઉડાન પછી પક્ષી અથડાતા ઈમરજન્સી સર્જાઈ હતી.
જો કે પાઈલોટે તુર્તજ વિમાનને પુના વિમાની મથકે પરત લેવા નિર્ણય લીધો હતો તથા સવારે 7.14 કલાકે તેણે સલામત લેન્ડીંગ કર્યુ હતુ અને પછી બીજી ફલાઈટ મારફત મુસાફરોને દિલ્હી પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.