શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- Smriti Irani બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તાની બાજુમાં એક સ્ટોલ પર ગોલગપ્પા ખાતા જોવા મળ્યા
- Sonakshi Sinha ના ઝહીર ઇકબાલનો તેમના ભાઈઓ સાથે તેમના આંતરધાર્મિક લગ્ન પછી ઝઘડો થયો હતો
- છેલ્લા ત્રણ અઠવાડિયામાં બોલિવૂડે ૧૦ ચમકતા સિતારા ગુમાવ્યા છે
- ગાંગુલીને આઇસીસી પ્રમુખ બનતા રોકવા સરળ નથી, CM મમતા બેનર્જીનો દાવો
- મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ Richa Ghosh ને ડીએસપી તરીકે નિયુક્ત કરવામાં આવી
- Australia, South Africa અને New Zealand સામે રમવું એ વર્લ્ડ કપ માટે ઉત્તમ તૈયારી હશે,Suryakumar Yadav
- Kolkata Test માં ઋષભ પંત અને ધ્રુવ જુરેલ રમશે,સાઈ સુદર્શનને ડ્રોપ કરવામાં આવશે
- Abhishek Sharma એ Shubhman gil સાથેની ભાગીદારી વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

