૧૦ વર્ષ પૂર્વે બુટલેગરને માર મારવાની થયેલી ફરિયાદ બાદ કોર્ટનો આદેશ
Rajkot,તા.25
શહેર સામા કાંઠે ૧૦ વર્ષ પૂર્વે બુટલેગરને માર મારવાની કોર્ટમાં થયેલી ફરિયાદ બાદ આ અંગે ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીએ બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ તથા બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ૩૨૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધવા હુકમ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતાં પ્રતિક દિલીપ ચંદારાણાને વર્ષ ૨૦૧૫માં બી-ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેને બેફામ માર માર્યો હતો. આ મામલે પ્રતિક ચંદારાણાએ કોર્ટમાં તત્કાલીન પીઆઈ પંડયા તથા પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ મારૂ અને કોન્સ્ટેબલ મહેશ મઢ સામે અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫ના કેસની અરજીની સુનાવણી ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીની કોર્ટમાં થઈ હતી. જે મામલે ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે અને વકીલે કરેલી દલીલને ધ્યાને લઈ ન્યાયાધીશ આર.આર.મિસ્ત્રીએ પીઆઈ અને બે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો.પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.