New Delhi,તા.20
ભારતીય શેરબજારે ગત વર્ષે જે તેજીનો જબરો માહોલ થયો તેના કારણે આઈપીઓની સેકન્ડરી માર્કેટમાં જે રીતે રીટેલ ઈન્વેસ્ટર એટલે કે હવે સામાન્ય પરિવારના લોકો પણ તેની બચત- બેન્ક થાપણ કે અન્ય જે ઘરેલુ બચતના નાણા શેરબજારમાં રોકી રહ્યા છે.
તેને એક ખતરનાક ટ્રેન્ડ ગણાતા નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યુ હતું કે ,માર્કેટમાં ‘કરેકશન’ સમયે થતા નાણાકીય નુકશાન આ પ્રકારે રોકાણ કરનારાઓને મોટી નાણાકીય મુશ્કેલીમાં મુકી શકે છે.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન લોકસભામાં આ અંગે કહેતા જણાવ્યું કે ઘરેલુ બેન્ક થાપણોથી લઈને વ્યક્તિગત બચત કે કુટુંબની સેફટી નેટ જેવી રકમ શેરબજાર સાથે જોડાયેલા નાણાકીય યોજનામાંથી લઈને માર્કેટમાં રોકાઈ રહી છે પણ દેશમાં જે રીતે નાણાકીય સાક્ષરતાનો હજુ અભાવ છે.
તેથી આ સ્થિતિ ગંભીર બની શકે છે. દેશમાં બેન્કો જે રીતે થાપણોમાં વૃદ્ધિદર ઘટવાની ચિંતાનો સામનો કરી રહી છે તો બીજી તરફ બેન્કો પાસે ધિરાણ માંગ વધી રહી છે. જેના કારણે બેન્કો લીકવીડીટીની સમસ્યાનો સામનો કરે છે.
સંસદય સમીતીને આ અંગે સુપ્રત કરાયેલ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઘરેલુ બચતના નાણા બેન્કમાંથી ઉપાડીને એ બજારમાં રોકાઈ રહ્યા છે. જેનાથી બેન્કોને પણ સસ્તા નાણા નહી મળતા હોવાથી તેની માર્જીન સાયકલ ખોરવાઈ રહી છે અને ઉંચા વ્યાજદરથી નાણા મેળવવામાં બેન્કોને ધિરાણ દર વ્યાજબી સ્તરે રાખતા રોકે છે.
દેશમાં હાઉસહોલ્ડ સેવિંગ જે 2018-19માં ડીપીના 20.3% હતુ તે 2023-24માં 18.4% થયુ છે. આમ ઘરેલુ બચત હવે પગ કરવા લાગી છે તો બીજી તરફ લાઈફ સ્ટાઈલના કારણે પરિવારની નાણાકીય જવાબદારી (દેવુ-લોન વિ.) વધી રહ્યા છે.
2019માં હાઉસહોલ્ડ ફાયનાન્સીયલ લાયાબિલીટી જે જીડીપીના 32.9% હતી તે 2024માં 41% પહોંચી છે. આ ઉપરાંત બેન્કોના ક્રેડીટ-ડિપોઝીટ રેશિયા વચ્ચે તફાવત વધી રહ્યા છે. બેન્કો જે થાપણો મેળવતી હતી તે હવે અન્ય નાણાકીય ક્ષેત્રમાં રોકાઈ રહી છે.