દિલીપ પટેલ સહિત સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ૪૧ જેટલા અરજીઓ મંજુર
Rajkot,તા.09
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તારીખ 8 ને રવિવારના રોજ મળેલી બેઠકમાં 41 જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય અંતર્ગત મળેલી અરજીમાં 14.40 લાખની સહાય મંજૂર કરવામાં આવી છેબાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨ થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય અને માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિના ચેરમેન દિલીપ કે.પટેલ અને સભ્યો ભરત વી. ભગત , શંકરસિંહ એસ.ગોહિલ ની હાજરીમા તા.૮/૦૬/૨૦૨૫ ના રોજ મોટીંગ મળી હતી.. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના ૪૧ જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે કુલ રૂપિયા 14.40 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ૧૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફ્રી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે.