ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા