Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…પહેલગામ બાદ
    લેખ

    તંત્રી લેખ…પહેલગામ બાદ

    Vikram RavalBy Vikram RavalApril 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલ આતંકી હુમલો એટલો દુઃખદ અને ચિંતાજનક છે કે તેને ભૂલાવી નહીં શકાય અને ભૂલવો પણ ન જોઇએ. ધર્મ જોઇને નિશાનો બનાવીને કરવામાં આવેલા આ હુમલાના જેટલા ઉજાગર પાસાં છે, તેટલાં છૂપાં પણ છે. પહેલું ઉજાગર પાસું એ છે કે સીમા પાર સત્તા પ્રતિષ્ઠાનનો ભારત વિરોધ ફરી બેશરમીથી ઉઘાડો પડી ગયો. બીજું પાસું, આપણી સુરક્ષા વ્યવસ્થામાં થોડો આશ્વસ્ત ભાવ આવી ગયો છે. ત્રીજું પાસું, કાશ્મીરી માનસ આ વખતે આતંક વિરુદ્ઘ લગભગ એકજુટ દેખાયું છે. ચોથું પાસું, સરકાર પૂરતા સંયમ સાથે કોઈ મોટા પગલા પર વિચાર કરી રહી છે. પહેલો નિહિતાર્થ એ છે કે ભારતની પ્રગતિ અને શાંતિના દુશ્મન સક્રિય થઈ ગયા છે. અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સની ભારત યાત્રા અન ભારતીય વડાપ્રધાનની સઉદી અરબ યાત્રાથી દુશ્મનો ખીજાયા છે. માત્ર પાકિસ્તાનની તાજી પ્રતિક્રિયાને જ જોઇએ તો અંદાજો લાગી જાય છે કે આપણી આસપાસ શું દલાયું છે. ભારતીય સંસદ પર થયેલ હુમલા અને મુંબઈ હુમલા બાદ આપવામાં આવેલ આશ્વાસનોને પડોશી દેશે ફરીથી ભૂલાવી દીધા છે.

    વાસ્તવમાં આપણા પ્રત્યે સદાય દ્વેષથી પ્રેરિત દેશ કાશ્મીરના વિષયને વિશ્વ પટલ પર જીવિત રાખા માગે છે. આપણા પહેલા વડાપ્રધાનની એક ભૂલ આજે દેશને કેટલી ભારે પડી રહી છે! હાલમાં જ પાકિસ્તાનના સેના અધ્યક્ષે પોતાના ઇરાદા ખુલ્લા જાહેર કર્યા હતા. દર થોડા વર્ષોના અંતરે પાકિસ્તાનમાં એવા સૈન્ય જનરલોની એક ખેપ આવે છે, જે પોતાના દેશના પૂર્વના અનુભવોને ભૂલાવી દે છે અને નવી બદનામી કમાવા તરફ દોરી જાય છે. પહેલગામમાં થયેલી કાયરતા પાકિસ્તાની સત્તા પ્રતિષ્ઠાનની ખીજ કે નિરાશાનું પરિણામ હોય તો આશ્ચર્ય નહીં. ભારત સરકારની રક્ષા અને સુરક્ષા એજન્સીઓએ એ આતંકીઓ પર જલ્દી સકંજો કસવો જોઇએ, જેમણે આ આતંકી ઘટનાને અંજામ આપ્યો છે. આતંકીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની સાથે જ એવી તમામ જગ્યાએ પોલીસને તૈનાત કરવાની જરૂર છે, જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવા જોઇએ. આપણા માટે સુરક્ષા પ્રાથમિકતા છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મી ન લગાવી શકાય, પરંતુ સુરક્ષાના ડિજિટલાઇઝેશનને તેજ કરવાની જરૂર છે. એક મોટું સ્થાયી રોકાણ ઇલેક્ટ્રોનિક નિરીક્ષણ માળખામાં કરવાનો સમય આવી ગયો છે. કાશ્મીરના મોટા પર્યટન સ્થળોના સુરક્ષા તંત્રની સાથે જ સ્થાનિક નાગરિક શક્તિને જોડીને હુમલાની ગુંજાશનો અંત કરી શકાય છે. આ કામ રાજ્ય સરકારે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવું જોઇએ. જોકે આતંકવાદ મુદ્દે જમ્મુ-કાશ્મીરની સ્થાનિક રાજ્ય સરકારોનો રેકોર્ડ તો બદનામ જ છે. તેથી કાશ્મીરને હંમેશ માટે સેના અને અર્ધસૈનિક દળોના લોખંડી જાપ્તા હેઠળ જ રાખવું યોગ્ય છે. કેન્દ્ર સ્તર પર સરકાર ગંભીર લાગી રહી છે અને લોકો ઠોસ પરિણામની આશા આ જ સરકાર પાસેથી રાખી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરીઓએ પણ સમજી લેવું પડશે કે આતંકના પરિણામે જ આજે તેમણે ભોગવવાની વારી આવી છે. તેમણે પોતાના ખરાબ દોરને યાદ કરી લેવો જોઇએ અને આતંક વિરુદ્ઘ શક્ય તેટલી મદદ સુરક્ષા દળોને કરવી જોઇએ.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025
    લેખ

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    લેખ

    દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ

    June 15, 2025
    લેખ

    તંત્રી લેખ…ભ્રષ્ટાચાર કેવી રીતે નિયંત્રિત થશે?

    June 13, 2025
    લેખ

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025
    લેખ

    તંત્રી લેખ…ટોઈલેટમાં મોબાઈલ કથા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.