શનિવારે જાહેર કરાયેલા સંઘર્ષ વિરામ બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવનું સ્તર ઘટ્યું છે તો તેનું સ્વાગત કરવું જોઇએ. જોકે પાકિસ્તાનની ફિતરત જોતાં ભારત સરકાર અને ભારતીય સેના કેટલી હદે સતર્ક છે તે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા શીર્ષ નેતૃત્વની બેઠકથી સમજી શકાય છે. નિઃસંદેહ, આ વધારાની સતર્કતા આશ્વસ્ત કરે છે અને તેને ત્યાં સુધી રાખવાની જરૂર છે જ્યાં સુધી બંને દેશોની સીમાઓ પૂર્વવત શાંતિપૂર્ણ સ્થિતિમાં પાછી ન ફરે. એમ પણ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ને અંજામ ાપ્યા બાદ એ સ્પષ્ટ કર્યું હતું કે તેની કાર્યવાહી પાકિસ્તાનની જનતા વિરુદ્ઘ નથી, પરંતુ તેનું લ-ય આતંકનાં એ કેન્દ્રોને ધ્વસ્ત કરવાનું હતું જે ભારતીય જમીન પર ખૂનખરાબા માટે જવાબદાર છે અને પહેલગામના ૨૬ નિર્દોષ હિંદુ સહેલાણીઓના કત્લેઆમમાં સામેલ છે. નવ આતંકી શિબિરોને નેસ્તનાબૂદ કરીને અને મોટી સંખ્યામાં આતંકીઓનો સફાયો કરીને આ ઓપરેશને પોતાનો મકસદ હાંસલ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાની સત્તા-પ્રતિષ્ઠાનનું વલણ બેહદ અમાનવીય અને ઉશ્કેરનારું રહ્યું. આતંકીઓને દફન કરતી વખતે આખી દુનિયાએ જોયું કે કઈ રીતે એ બધાને ત્યાં રાજકીય સન્માન આપવામાં આવ્યું, બલ્કે ત્યારબાદ પણ ભારતીય નાગરિક અને સૈન્ય ઠેકાણાં પર મિસાઇલ અને ડ્રોન હુમલાની હિમાકત કરીને તેણે પોતાની રક્ષા કમજોરીઓનો દુનિયામાં તમાશો બનાવી દીધો. ભારતના મજબૂત ડિફેન્સ સિસ્ટમે ન માત્ર તેના તમામ પ્રહાર નિષ્ફળ કરી દીધા, બલ્કે જેવું રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, બ્રહ્મોસ મિસાઇલની ધાક રાવલપિંડીમાં બેઠેલા ફોજી સાહેબોએ પણ સાંભળી. ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાન સહિત આખી દુનિયાને એ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ભારતીય ભૂમિ પર આતંકવાદી કૃત્ય કરીને કોઈ આતંકી કોઈ દેશમાં ખુદને સુરિક્ષત સમજવાની ભૂલ ન કરે. કાશ્મીરમાં રહેતા મુઠ્ઠીભર આતંકીઓ કે તેમની સાથે સહાનુભૂતિ રાખનારાને પણ હવે ખબર પડી જવી જોઇએ કે ગુનેગાર ગમે ત્યાં છૂપાય, છોડવામાં નહીં આવે. પરંતુ આ સમગ્ર સંઘર્ષમાં ેક એવું પાસું પણ જોવા મળ્યું છે, જેને નંજરઅંદાજ ન કરી શકાય અને જે ભારતીય રાજદ્વારી અને આંતરિક સુરક્ષા તંત્ર માટે નવી અગિદ્ઘપરીક્ષા સાબિત થઈ શકે છે. અમેરિકા એવા પ્રયાસ કરી રહ્યું છે કે તે ભારત-પાકિસ્તાન વચ્ચે લવાદની ભૂમિકા ભજવે. પરંતુ ભારતીય કૂટનીતિએ તેમની દરેક ચાલને નિષ્ફળ કરી દીધી. જોકે આખાબોલા ટ્રમ્પની પાછલા બે દિવસની ટિપ્પણીઓ હવે ઇસ્લામાબાદને નવેસરથી પ્રેરિત કરી શકે છે કે તે ટ્રમ્પ પ્રશાસનને ખુશકરવા માટે કાશ્મીર મુદ્દાને વારંવાર તેમની સામે રજૂ કરે. તેના માટે તે કાશ્મીરમાં નવેસરથી આતંકને ઉત્તેજન આપવાની કોશિશ કરી શકે છે. તેથી ભારતે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકા સત્તા-પ્રતિષ્ઠાનને એ સ્પષ્ટ કરી દેવું જોઇએ કે આ મામલે કોઈ ત્રીજા પક્ષ માટે કોઈ અવકાશ નથી.