ગયા વર્ષની રેકોર્ડ તોડ ગરમી બાદ ૨૦૨૫ની શરૂઆતથી જ તાપમાનને લઈને જે આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી, તેને સાચા પડતા જોવું અનપેક્ષિત ન હોવા છતાં પણ ચિંતાઓ વધારનારું તો છે જ. ગત ફેબ્રુઆરીએ પહેલેથી જ ૧૯૦૧ બાદ સૌથી ગરમ ફેબ્રુઆરી જાહેર કરાઈ ચૂક્યો છે અને હવે રવિવારે દેશના પાંચ રાજ્યોના ૨૧ શહેરોમાં અધિકતમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચવાને માત્ર એક હવામાન બદલાવ માનીને અવગણના ન કરી શકા. આ દરમ્યાન, ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના તાજા અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ધરતીનું સરેરાશ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે, તો ૪૦ ટકા વૈશ્વિક સંપત્તિના નષ્ટ થવાનો ખતરો છે, જ્યારે અત્યાર સુધીની શોધ ૧૧ ટકા નુક્સાનની જ વાત કહેતા આવ્યા છે. તાપમાનનું વધવું માત્ર ગરમી સહન કરવા સુધી જ સીમિત હોય તો એક વાત થઈ, પરંતુ આ સ્થિતિઓ પ્રકૃતિમાં અસંતુલનનો સંકેત આપે છે, જેથી મોટી પ્રાકૃતિક આપદાઓનો ડર પણ પેદા થાય છે.
ગયા વર્ષે જુલાઈમાં કેરળના વાયનાડમાં મોટા પાયે થયેલ ભૂસ્ખલનને યાદ કરો, જેમા ંસેંકડો લોકો હતાહત થયા હતા. ગયા વર્ષે જ રાજસ્થાનમાં જેસલમેરમાં એક જ દિવસમાં સિઝનનો ૫૫ ટકા વરસાદ થઈ ગયો હતો. આ જ રીતે લેહના ઠંડા રણ વિસ્તારમાં જુલાઈમાં ગરમીની લહેર ચાલી હતી. આ સ્થિતિ એટલા માટે પણ ડરાવે છે, કારણ કે ૨૦૨૪માં આવી આપદાઓમાં ૩૨૩૮ લોકોના જીવ ગયા હતા, જે ૨૦૨૨ની તુલનામાં ૧૮ ટકા વધારે છે. અસલમાં, જે રીતે ચરમ હવામાન ઘટનાઓની આવૃત્તિ, તીવ્રતા અને અવધિ વધી છે, જેનાથી સવાલ ઊઠે છે કે શું આ ‘ન્યૂ નોર્મલ’વાળી સ્થિતિ તો નથી બનવા જઈ હી? જેનો સામનો આખી દુનિયાએ કરવો પડશે. ૨૦૨૨માં ગરમ હવાઓને કારણે પેદાશમાં લગભગ ૨૦ ટકા ઘટાડો આવ્યો હતો, જે આ વર્ષની કહાની પણ હોઇ શકે છે. ખેતીનો ગાઢ સંબંધ પાણીની ઉપલબ્ધતા પર હોય છે. એવામાં ઉત્તર ભારતમાં જળાશયોની ક્ષમતામાં ઘટાડો પણ ચિંતાનો વિષય છે. હવે સમય આવી ગયો છે કે આ સંકટને ગંભીરતાથી લેવામાં આવે. વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે નીતિઓ હોવી પૂરતું નથી, તેના યોગ્ય કાર્યાન્વયન પર ધ્યાન આપવું પડશે. વીજળી અને પાણીનો કિફાયતથી ઉપયોગ અને પ્રદૂષણ ઓછું કરવાના નાના-નાના પગલાં મોટા બદલાવ લાવી શકે છે. દરેકે ખુદને પૂછવું જોઇએ કે તે પર્યાવરણની આ વ્યાપક થતી જતી સમસ્યાનું અંગ છે કે પછી સમાધાનનું? આ સંબંધે કોઈ ત્રીજો વિકલ્પ હવે બચ્યો જ નથી.