આગામી ૩૦ એપ્રિલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ઘાળુઓનું રજીસ્ટ્રેશન વધી રહ્યું છે, સાથે જ શ્રદ્ઘાળુઓ સાથે ઓનલાઇન ઠગાઈની ફરિયાદો પણ મળવા લાગી છે, એવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરનારા ભારતીય સાઇભર અપરાધ સમન્વય કેન્દ્ર દ્વારા સાઇબર ઠગાઈથી સાવધાન રહેવા માટે એલર્ટ જારી કરવું યોગ્ય જ જણાય છે. અસલમાં સાઇબર અપરાધી ચારધામ યાત્રા માટે બનાવટી વેબસાઇટ, સોશ્યલ મીડિયા અને વોટ્સએપ એકાઉન્ટ દ્વારા હેલિકોપ્ટર, ગેસ્ટ હાઉસ, હોટેલ બુકિંગ, ઓનલાઇન કેબ/ટેક્સી સર્વિસ બુકિંગ, હોલિડે પેકેજ અને ધાર્મિક ટૂર જેવી ઓફર આપે છે, જેમાં ફસાઈને ભોળા શ્રદ્ઘાળુ પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. તીર્થયાત્રી જ્યારે વિભિન્ન સેવાઓ માટે ચૂકવણી કરે છે, તો તેમને કોઈ કન્ફર્મેશન મેસેજ નથી મળતો અને ના સંપર્ક માટે કોઈ જાણકારી ઉપલબ્ધ હોય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના જ એક રિપોર્ટ અનુસાર, પાછલા છ વર્ષોમાં સાઇબર ઠગાઇ મામલે ૪૨ ગણાનો વધારો થયો છે. દુનિયામાં દરેક સેકન્ડમાં ૧.૬૩ કરોડ રૂપિયાની સાઇબર ઠગાઈ થાય છે, જે સાઇબર ઠગોના વૈશ્વિક નેટવર્કની પુષ્ટિ કરે છે. જેમ જેમ હાલના વર્ષોમાં મોબાઇલ ફોન, ઓનલાઇન લેવડદેવડ અને ખરીદી તથા ધાર્મિક પર્યટનના વલણ વધ્યા છે, જેમ જેમ સાઇબર ઠગોની ગતિવિધિઓ પણ દેશમાં ઝડપથી વધી છે. સામાન્ય લોકો કે શ્રદ્ઘાળુ જાણકારીની અછત અને જાગૃતિના અભાવે પર્યાપ્ત કાયદા નહીં હોવાને કારણે પણ અપરાધી બેલગામ અને દુસ્સાહસી બની ગયા છે. સવાલ થાય છે કે તમામ નિયમ-કાયદા છતાં પણ સાઇબર અપરાધી મોબાઇલ સિમ લેવામાં સફળ કેવી રીતે થઈ જાય છે? માહિતીની ઉણપ, લાલચની પ્રવૃત્તિ અને ધૈર્યનો અભાવ સાઇબર અપરાધીઓની સક્રિયતા વધવાનાં સામાજિક કારણ છે, જેના માટે વ્યાપક જાગરુકતાની જરૂરિયાત છે. સરકારી સ્તર પર તો સાઇબર અપરાધીઓનો સામનો કરવાનું કામ થઈ જ રહ્યું છે, લોકોએ પણ પોતાના સ્તરે સજાગ બનવું પડશે. ૨૦૨૪માં દેશમાં ૨૪ હજાર અધિકારીઓને સાઇબર અપરાધનો સામનો કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જોકે દેશના ૩૭ ટકા જિલ્લામાં હજુ પણ સાઇબર ક્રાઇમ સેલ નથી. બેશક સાઇબર અપરાધીઓ સાથે લડાઈ એક મોંઘો સોદો છે, પરંતુ ડિજિટલ ઇન્ડિયાની સફળતા માટે સાઇબર સુરક્ષા પર રોકાણ વધારવું સમયની જરૂરિયાત છે. નિરંતર ડિજિટલ થતા ભારતમાં સાઇબર અપરાધીઓ પર અંકુશ લગાવવા માટે સામાજિક જાગરુકતા સાથે સાઇબર સુરક્ષા પર રોકામ વધારવાની જરૂર છે અને નાગરિકોને પણ અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું, ઠગાઈનો શિકાર થઈ જતાં સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવવાની જરૂર છે.