ઓપેરશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના આતંકી અડ્ડા નષ્ટ કરાય ાબાદ તેના કેટલાય મુખ્ય એરબેઝ ધ્વસ્ત કરવાની અભૂતપૂર્વ સૈનિક કાર્યવાહી વિશે આપણા શીર્ષ સૈન્ય અધિકારીઓએ સતત બે દિવસ સુધી જે કંઈ જણાવ્યું, ત્યારબાદ પાકિસ્તાન માટે મોં છૂપાવવવું અને વધારે કઠિન હશે. ઓપરેશન સિંદૂરની સફળતાને રેખાંકિત કરવી એટલા માટે જરૂરી હતું, કારણ કે પાકિસ્તાન હંમેશની જેમ એ જૂઠ્ઠાણું ફેલાવાની કોશિશમાં છે કે અમારું કોઈ વધારે નુક્સાન નથી થયું. તે આ જૂઠ્ઠાણાનો સહારો લેવામાં એટલા માટે ઉઘાડું પડી ગયું, કારણ કે એવા કોઈ પુરાવા ન આપી શક્યું કે તે પોતાનો બચાવ યોગ્ય રીતે કરી શક્યું. તેની સેનાએ જે કથિત પુરાવા આપવાની કોશિશ કરી, તે એટલા હાસ્યાસ્પદ છે કે તે ઉપહાસનું પાત્ર બની ગયું છે. પાકિસ્તાનને બેનકાબ કરવું એટલા માટે પણ જરૂરી હતું, કારણ કે કેટલાય આંતરરાષ્ટ્રીય મીડિયા માધ્યમ પણ સત્યથી મોં ફેરવી રહ્યા હતા. એમાં તો કોઈ શંકા નહીં કે ભારતે પાકિસ્તાનને પછાડી દીધું, પરંતુ એ પ્રશ્ન અનુત્તરિત છે કે શું તે સુધરશે? એ ઠીક છે કે બંને દેશોના સૈન્ય અભિયાન મહાનિર્દેશકો વચ્ચે વાતચીત થઈ અને તેમાં સીમા પર તણાવ ઘટાડવા અને ઉશ્કેરણીની કાર્યવાહી રોકવા પર સહમતિ બની, પરંતુ કમ સે કમ ભારત એના પર ભરોસો નથી કરી શકે.
ભૂતકાળમાં પાકિસ્તાને સીમા પર શાંતિ જાળવી રાખવા અને આતંકવાદથી અંતર રાખવાના પોતાના વાયદા એટલી વાર તોડ્યા છે કે એના પર આગળ ભરોસો કરવો ખતરાથી ખાલી નથી. તેનો પણ અંદેશો છે કે બંને દેશો વચ્ચે યુદ્ઘ જેવા સૈન્ય ટકરાવ પર વિરામના અમેરિકી રાષ્ટ્રપતિના કથિત શ્રેયથી ઉત્સાહિત થઈને તે કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની કોશિશ કરી શકે છે. તે એનાથી પણ પરેશાન છે કે સૈન્ય કાર્યવાહી અટકી ગઈ, પરંતુ તેના હાથમાં કશું ન આવ્યું અને ત્યાં સુધી કે ભારત એ નિર્ણયો પર વિચાર કરવા પણ તૈયાર નથી, જે પહેલગામની આતંકી ઘટના બાદ તેના વિરુદ્ઘ લેવામાં આવ્યા. એમાં સૌથી કઠોર નિર્ણય છે સિંધુ જળ સંધિ સમજૂતી અટકાવી દેવી. ભલે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તેના પર કૃપા દેખાડી હોય, પરંતુ સિંધુ જળ સમજૂતી પર વિશ્વ બેંક કોઈ દખલ કરવા તૈયાર નથી. પાકિસ્તાન રાજકીય, આર્થિક અને હવે તો સૈન્ય મોરચે પણ સંકટમાં છે. આ સંકટમાંથી ઉગરાનો એક જ ઉપાય છે અને તે છે ભારત વિરુદ્ઘ આતંકવાદનો ઉપયોગ બંધ કરવો. જ્યાં સુધી તે વાસ્તવમાં એવું નહીં કરે અને ખુદને વિશ્વસનીય નહીં બનાવે, ત્યાં સુધી તેના પ્રત્યે કોઈ પ્રકારની ઢીલ રાખવી ન જોઇએ. ભારતે ઓપરેશન સિંદૂરથી જે કંઈ મેળવ્યું છે, તેને સાચવીને રાખવા માટે પાકિસ્તાનથી સતર્ક રહેવું પડશે અને એના પર દબાણ બનાવી રાખવું પડશે.