Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…રાહુલ ગાંધીની અપરિપક્વ બાલિશ રાજનીતિ
    લેખ

    તંત્રી લેખ…રાહુલ ગાંધીની અપરિપક્વ બાલિશ રાજનીતિ

    Vikram RavalBy Vikram RavalFebruary 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચા દેખાડવાના ઇરાદે એવું નિવેદન કરી નાખ્યું જે ભારતની સાખને આઘાત પહોંચાડનારું છે, બલ્કે દેશની એક્તા કે અખંડતાને ધ્વસ્ત કરનારું છે. રાહુલ ગાંધી કઈ રીતે બેજવાબદાર નિવેદન આપવામાં માહેર થઈ ગયા છે, તે આ કથનથી ફરી એકવાર સાબિત થયું કે વિદેશ મંત્રી એસ.જયશંકર એટલા માટે વારંવાર અમેરિકા જઈ રહ્યા હતા, જેથી ભારતીય વડાપ્રધાનને ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવે. રાહુલ ગાંધી મોદી વિરોધમાં ગમે તે બોલે, તે રાજકારણનો ભાગ છે, પરંતુ તેઓ મોદી વિરોધમાં વહી જઈને દેશવિરોધમાં જે રીતે એલફેલ દાવા કરતાં જૂઠ્ઠાણાં ચલાવે છે, તે તેમની રાજકીય અપરિપક્વતા અને બાલિશતા જ દર્શાવે છે. આખરે ક્યારે રાહુલ એક જવાબદાર અને વિવેકવાન વિરોધ પક્ષના નેતા બનશે? થોડા સમય પહેલાં પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અમારી લડાઈ ભાજપ કે આરએસએસ સામે જ નહીં, ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે!

    લોકસભામાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના આ વિચિત્ર નિવેદન પર તરત વાંધો ઉઠાવ્યો, બલ્કે વિદેશ મંત્રી જયશંકરે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આવી વાત કહીને ભારતની છબિ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના જૂઠ્ઠાણાનો ઉદ્દેશ્ય રાજકીય હોઈ શકે છે, પરંતુ આવા જૂઠ્ઠા, ભ્રામક અને ગુમરાહ કરનારા નિવેદનથી ભારતની છબિને ભારે નુક્સાન થયું છે. એ નક્કી છે કે વિદેશ મંત્રીના પ્રતિવાદની રાહુલ ગાંધીને કશી અસર નથી જ થવાની. આવી વાહિયાત વાતો કરીને તેઓ વડાપ્રધાન પર હુમલો કરવાની કોઈ તક છોડતા નથી. તેઓ વડાપ્રધાન રૂપે નરેન્દ્ર મોદીને કોઈ મહત્ત્વ નથી આપતા. બધા જાણે છે કે તેઓ વડાપ્રધાન વિરુદ્‌ઘ તુ-તડાક કરીને અશાલીન અને અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરતા રહે છે. મુશ્કેલી એ છે કે આ આદતનો ત્યાગ તેઓ વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યા બાદ પણ નથી કરી શકતા. સમસ્યા માત્ર એટલી નથી કે તેઓ વડાપ્રધાન પદની ગરિમાની પરવા નથી કરતા, સમસ્યા એ પણ છે કે તેઓ છાશવારે એવી બાલિશ વાતો કરી નાખે છે, જે રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ હોય છે અથવા બીજા દેશો સાથે સંબંધો પર ખરાબ અસર કરે છે.

    રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે અને તેમણે અન્ય સાંસદોની જેમ જ દેશની અખંડતા અને એક્તાના સોગંદ લીધા છે, પરંતુ તેમના દ્વારા સમયે સમયે અપાતાં નિવેદનો સંપૂર્ણ રીતે રાષ્ટ્રવિરોધી છે. એવું લાગે છે કે રાહુલ ગાંધી ભારત વિરોધી અલગતાવાદી સમૂહના નેતા બનવાના રસ્તે અગ્રેસર છે અને તેમનો ઇરાદો ભારતની એક્તા, અખંડતા અને સામાજિક સદ્ભાવને નષ્ટ કરવા અને દેશને ગૃહયુદ્‌ઘ તરફ ધકેલવાનો છે. આ રીતે રાહુલ ગાંધી દ્વારા દેશમાં વિભાજનનાં બીજ વાવવાના પ્રયાસ નિંદનીય જ નહીં, ચિંતનીય પણ છે. સત્તાની લાલચમાં કોંગ્રેસ અને તેના નેતા દેશની અખંડતા સાથે સમજૂતી અને આમ આદમીના ભરોસાને તોડવાનું ચૂકતા નથી. રાહુલનાં નિવેદનોથી લાગે છે કે તેમની લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સાથે નહીં, બલ્કે ભારત સાથે છે. રાહુલ ગાંધી હંમેશાં ભારત રાષ્ટ્ર અર્થાત ભારતના બંધારણ એટલે કે આંબેડકરના બંધારણ વિરુદ્‌ઘ વિષવમન કરતા દેખાય છે. આંબેડકરના અસ્તિત્વને નકારીને ભારતના બંધારણને બદલ્યા બાદ ગાંધી પરિવાર દેશનું વિભાજન, દુશ્મન દેશના નેતાઓ અને શક્તિઓના સપનાંનું ટુકડા થઈ ગયેલું ભારત ઇચ્છે છે. આખરે રાહુલ ગાંધી અને કોંગ્રેસી કઈ વાત માટે બંધારણની નકલ લઈને ફરે છે? આવા એક બેજવાબદાર અને બાલિશ નેતાનું લોકસભામાં વિરોધ પક્ષના નેતા હોવું દેશનું દુર્ભાગ્ય નથી? રાહુલ ગાંધીએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

    રાહુલ ગાંધી પોતાના અધકચરા, તથ્યહીન અને વિધ્વંસાત્મક નિવેદનોને લઈને નિરંતર ર્ચામાં રહે છે. તેમના નિવેદનો હાસ્યાસ્પદ હોવાની સાથે જ ઉદ્દેશ્યહીન અને ઉચ્છૃંખલ પણ હોય છે. રાહુલે પહેલાં પણ વાતો-વાતોમાં એમ કહ્યું હતું કે ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે. તેઓ દેશના મુખ્ય વિપક્ષી દળના નેતા છે. સરકારની નીતિઓથી નારાજ થવું, સરકારનાં પગલાં પર સવાલ ઉઠાવવો તેમના માટે જરૂરી છે અને રાજકીય રૂપે તેમનું કર્તવ્ય પણ છે.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025
    લેખ

    Ganpati ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

    August 26, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part

    August 26, 2025
    લેખ

    તંત્રી લેખ…અર્થતંત્રમાં મહિલાઓની ઓછી ભાગીદારી વિકાસ પર નકારાત્મક અસર કરી રહી છે

    August 25, 2025
    ધાર્મિક

    પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ

    August 25, 2025
    લેખ

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.