હવામાને ફરી એક વખત ઇશારો કર્યો છે કે આપણે કુદરતી આપદાઓથી સાવધાન રહેવાની જરૂર છે. શુક્રવારે સૂર્યોદય પહેલાં જ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના ક્ષેત્રોમાં જે રીતે આંધીતોફાન સાથે ભારે વરસાદ થયો તેનાથી સ્વાભાવિક જ ચિંતા વધી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગર પડવાથી ચાર લોકોનાં મોત થયાં અને સડકથી આકાશ સુધી પરિવહન પ્રભાવિત થયું. હવામાનનો માર વાસ્તવમાં સામાન્ય અને ખાસ લોકોને સમાન રૂપે પરેશાન કરે છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અનેક સ્થળોએ વીજળી ડૂલ થતાં લોકો પરેશાન થયા. એવામાં હવામાનમાં વીજળી પૂરવઠો એક પડકાર છે, પરંતુ દિલહીના મોટાભાગના વિસ્તારોમાં વીજળી પૂરવઠો ખોરવાયો નથી અને લોકોને કમ સે કમ ઘરની અંદર સુરક્ષાનો અહેસાસ થયો છે. જે વિસ્તારોમાં વીજળી પૂરવઠો બાધિત થયો છે, ત્યાં સમય રહેતાં પૂરવઠા તંત્રને દુરસ્ત કરી લેવું જોઇએ. ધ્યાન રહે કે કોઇપણ આપદા સમયે વીજળીની જરૂરિયાત વધી જાયછે. શું એ શરમની વાત નથી કે દેશમાં ગુરુગ્રામ અને નોઇડા જેવા મોંઘા વ્યાવસાયિક વસવાટવાળા વિસ્તારોમાં હજુ પણ વીજળી પૂરવઠો રોકી રાખવાની જરૂર પડે છે? આંધી-વરસાદ સમયે આ ઉભરતાં શહેરોનું અટકી જવું વિચારણીય છે.
અફસોસ કે હવે ભારે વરસાદથી સડકો પર ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ગુડગાંવ, દિલ્હી એરપોર્ટ અને મિંટો રોડ જેવી જગ્યાઓ પર ભારે પાણી ભરાયાં છે. જળવાયુનું ચક્ર કે પ્રકોપ આપણે બદલી નહીં શકીએ, પરંતુ મુકાબલાની તૈયારીઓ ચોક્કસ કરી શકીએ છીએ. આપણે ધ્યાન રાખવું પડશે કે એવી સહજ પ્રાકૃતિક આપદાઓની સંખ્યા આવનાર સમયમાં વધશે અને તેના માટે આપણે તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ અને સંસાધનો સાથે તૈયાર રહેવું પડશે. એ સારી વાત છે કે હવામાન વિજ્ઞાન વિભાગે એક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી. આગાહી અનુસાર ૧ મેથી ૬ મે સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગર્જના સાથે વરસાદ, વીજળી પડવા અને ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ગતિથી ઝડપી પવન ચાલવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હવામાન લગભગ એવું જ રહેસે. આ ક્ષેત્રોમાં સાવધાનીની જરૂર છે. આ ભીષણ ગરમી અને લૂનો સમય છે, તો વરસાદથી લોકોને રાહત મળી છે, પરંતુ ચિંતા પણ વધી છે. થોડા વરસાદ છતાં હજુ ગરમીનો ક્રમ જ ચાલવાનો છે. એવા હવામાનમાં સ્વાસ્થ્ય સંબંધી સજાગતા પણ જરૂરી છે. નિઃસંદેહ, આપણે જળવાયુ પ્રત્યે વધુ ગંભીર થવું પડશે. હવામાનાં એક સાથે અનેક બદલાવ થઈ રહ્યા છે. એક તાજા રિપોર્ટ અનુસાર, ગરમી કે લૂને કારણે ૨૦૦૧થી ૨૦૧૯ વચ્ચે ૩૫ હજારતી વધારે લોકોના જીવ ગયા છે. બીજી તરફ પાછલાં વર્ષોમાં આકાશીય વીજળી જનિત દુર્ઘટનાઓમાં વધારો થયો છે. ધ્યાન રહે, પાછલા મહિને ૧૦-૧૨ એપ્રિલ વચ્ચે પૂર્વ અને મધ્ય ભારતમાં વીજળી પડવાથી ૧૨૬ મોત નોંધાયાં હતાં. ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે ભારતમાં વીજળી પડવાની ઘટનાઓમાં ૫૩ ટકાનો વધારો આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઇએ. બદલાતા અને બગડતા હવામાનને જોતાં સચોટ તૈયારીની જરૂર છે. આમ જનતાથી સરકાર સુધી જળવાયુ સંરક્ષણ પર બધાએ ધ્યાન આપવું પડશે. યાદ રહે, હવામાન સંબંધી મોટાભાગની સમસ્યાઓ જળવાયુ પરિવર્તનનું જ પરિણામ છે, પરંતુ જળવાયુ પરિવર્તનના ખતરાને શું જવાબદાર લોકો સમજ્યા છે?