ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીના એ આકલનથી પોતાની પીઠ થાબડી શકે છે કે ૨૦૦૦ બાદ ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના મૃત્યુ દરમાં ૭૦ ટકાનો ઘટાડો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના રિપોર્ટમાં એ યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે શિશુઓના મૃત્યુદર ઓછો કરવામાં સફળતા મળી છે. તેનો અર્થ છે કે છેલ્લા કેટલાક સમયમાં સ્વાસ્થ્ય સેવાઓ અને માળખાને બહેતર કરવા માટે વાસ્તવમાં કેટલાય ઉલ્લેખનીય પગલાં ભરવામાં આવ્યાં છે. તેમાં આયુષ્માન ભારત યોજના પણ સામેલ છે. તેનો ઉલ્લખ પણ સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ વિશેષ રૂપે કર્યો છે. આ સ્વાસ્થ્ય સંબંધી વિશ્વની સૌથી મોટી યોજના છે. તે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ છે. આશ્ચર્ય નહીં કે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ કહ્યું કે ભારતે લાખો લોકોના જીવનને બચાવવાનું કામ કર્યું છે. આયુષ્માન ભારત યોજનાની ઉપયોગિતાને જોઇને જ હાલમાં ૭૦ વર્ષની ઉંમરના તમામ બુઝુર્ગોને આ યોજનાના દાયરામાં લાવવામાં આવ્યા છે. ગત દિવસોમાં એક સંસદીય સમિતિએ જે રીતે ૬૦ વર્ષ ઉપરના તમા મનાગરિકોને આ યોજનાના દાયરામાં લાવવાની જરૂર વ્યક્ત કરી, તેનાથી એ જ ઇંગિત થાય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે હજુ પણ ઘણું કરવાની જરૂર છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે કેન્દ્ર સરકારે જ નહિ, બલ્કે રાજ્ય સરકારોએ પણ તત્પર થવું જોઇએ.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેની અવગણના ન કરવી જોઇએ કે નાનાં શહેરો અને ગામડાંના વિસ્તારોમાં સરકારી સ્વાસ્થ્ય માળખું યોગ્ય સ્થિતિમાં નથી હોતા. નાનાં શહેરો અને ગામડાંમાં ન માત્ર ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મીઓની અછત છે, બલ્કે હોસ્પિટલો અને મેડિકલ ઉપકરણોની પણ. તેને કારણે આ ક્ષેત્રોના લોકો શહેરોની મોટી હોસ્પિટલો તરફ દોડે છે, જ્યાં ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોના મુકાબલે સરકારી હોસ્પિટલો બહુ પાછળ જણાય છે. આ એક હકીકત છે કે મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલોમાં મજબૂરીમાં જ ઉપચાર કરાવવો પસંદ કરે છે. એ સાચું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવી મેડિકલ કોલેજો ખૂલી છે, પરંતુ આ મેડિકલ કોલેજોથી નીકળેલા ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓ આપવા તૈયાર નથી હોતા. સમય સાથે ઉપચાર મોંઘો થતો જાય છે. જો કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ઉપચાર કરાવવો પડે તો તે દેવામાં ડૂબી જાય. તેનું એક કારણ એ પણ છે કે આપણે ત્યાં સ્વાસ્થ્ય વીમાનું એટલં ચલણ નથી જેટલું જરૂરી છે. સરકારો એનાથી અજાણ ન હોય કે મોટી ઉંમરના લોકો માટે સ્વાસ્થ્ય વીમો મોંઘો થતો જાય છે અને તેમાં પણ ભારેભરખમ જીએસટી લાગે છે.