ગઈકાલે વાડીએ ગયા બાદ ઘેર ના આવેલા વૃદ્ધની શોધખોળ દરમિયાન વહેલી સવારે મૃતદેહ હાથ લાગ્યો
Rajula,તા.19
રાજુલાના ખાખબાઈ ગામે ગઈકાલે રાત્રે વાડીએ ગયેલા વૃદ્ધ ઘેર ના આવતા શોધખોળ દરમિયાન વહેલી સવારે ધાતરવાડી નદી માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ખાખબાઈ ગામના જેરામભાઈ દેવશીભાઈ હડિયા 60 ગઈકાલે વાડીએ ગયા બાદ સાંજે નિત્ય કર્મ મુજબ ઘેર પાછા ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, અને વેલી સવારે વૃદ્ધનો મૃતદેહ ધાતરવાડી ડેમના દરવાજાથી 200 મીટર દૂર થી મળી આવ્યો હતો. વૃદ્ધગુમ થયાની જાણ થતા અને રાજુલા ટીડીઓ અને પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી હતી. જેરામભાઈ દેવશીભાઈ હડિયા રાત્રે ઘેર આવતી વખતે નદીના વહેણમાં તણાઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ બનાવની જાણ થતા હોસ્પિટલે ગામના સરપંચ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા