Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી
    • Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો
    • હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat
    • Mount Abu માં તાપમાન -૨ ડિગ્રી પહોંચતાં ધ્રૂજી રહ્યા છે લોકો
    • Meenakshi Hoodaની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં એન્ટ્રી
    • Delhi-Mumbai Expressway વે પર બેકાબૂ કારે ૫ શ્રમિકોને કચડ્યાં
    • અમેરિકી રિપોર્ટે ચીન અને પાક.ના જુઠ્ઠાણાની પોલ ખોલી
    • Rahul Gandhi પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»પાલડીમાં લઘુમતી સમાજના ખરીદેલા બંગલાના બાનાખત રદ કરીને એફઆઇઆર થશે !
    અમદાવાદ

    પાલડીમાં લઘુમતી સમાજના ખરીદેલા બંગલાના બાનાખત રદ કરીને એફઆઇઆર થશે !

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૯

    જ્યારે જ્યારે અમદાવાદમાં કલેકટર અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક મળે ત્યારે ત્યારે અશાંત ધારા અંગે રજૂઆત ધારાસભ્ય કરે છે. ધારાસભ્ય રજૂઆત છતાં તંત્ર જાણે ખ્યાલ ના હોય તેવું બનતું હોય છે. આવું તાજેતરમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાના નિયમોનો ભંગ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાત જાણે એવી છે કે, અમદાવાદના પાલડીમાં વિસ્તારમાં કોચરબ આશ્રમ પાસે નૂતન સર્વોદય સોસાયટીના આવેલી છે. આ નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા બંગલાઓ હિન્દુ રહીશો દ્વારા લઘુમતી સમાજના વ્યક્તિને વેચી દેવામાં આવ્યા હતા. જેનો બાનાખત પણ થયો હતો.

    જોકે સમગ્ર મામલો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ખ્યાલ આવતા તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને અશાંતધારા નિયમોના ભંગ અંગે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પાલડીની નૂતન સર્વોદય સોસાયટીના મહત્તમ બંગલા સ્થાનિક હિંદુ રહીશો ડો. દિલીપ અંબાલાલ મોદી, સ્વ. હર્ષદભાઇ ભાઇશંકર જોષી, અપુર્વ અમૃતભાઇ જાની, કૌશીકાબેન કિરીટભાઇ ત્રિવેદી, રમેશભાઇ લાભશંકર ત્રિવેદી, ગિરીશ મણીભાઇ પટેલ, પ્રફુલચંદ્ર પ્રાણલાલ જેટલી, મુકેશ બળવંતરાય પંચોલી, સુનિતા રમણલાલ વ્યાસ દ્વારા તમામ પોતાની માલિકીના બંગલા લઘુમતી સમાજના મુસ્તુફામીયાં હુસેનમીયાં શેખને વર્ષ ૨૦૨૧માં વેચાણ આપવા માટે રજિસ્ટર્ડ બાનાખત કરવામાં આવ્યું હતું.

    અશાંત ધારો લાગુ પડતો હોવા છતાં પણ કલેકટરની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આ બાનાખત મામલે વિવાદ થતાં સમગ્ર પ્રકરણને જિલ્લા કલેકટર દ્વારા સુઓમોટો રીટ તરીકે લઇ સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ જવાબદારને નોટીસ આપી સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેમાં ૨૦૨૨માં તેમણે આ મકાનો વેચાણ માટે બાનાખત કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. અશાંત ધારા પરવાનગી માટે જે અરજી કરવામાં આવી હતી તે પશ્ચિમ ડેપ્યુટી કલેકટર દ્વારા નામંજૂર પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત હવે નૂતન સર્વોદયના તમામ ૯ બંગલાના રજિસ્ટર્ડ થયેલા બાનાખત સિટી ડેપ્યુટી કલેકટર પશ્ચિમ અમદાવાદ દ્વારા રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

    તમામ મિલકતોના જે પણ વળતર ચૂકવણી કરવામાં આવી હતી. તે મૂળ માલિકને પરત આપવા માટે અને કબજો છ મહિનામાં આપવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ મંજૂરી વિના મિલકત તકદીર કરનાર શખસો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા તેમજ આ સોસાયટીના વહીવટ અને વ્યવહારો બાબતે પણ તપાસ કરી કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જેથી કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નિયમ વિરૂદ્ધ મિલકતોને તબદીલ કરવા બદલ જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ સાબરમતી મામલતદારને જાણ કરવામાં આવી છે. એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા પણ આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી. બાનાખત રદ કરવા અને પોલીસ ફરિયાદ અંગેનો નિર્ણય લેવામાં આવતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025
    અમદાવાદ

    Sabarmati Jail માં આઇએસઆઇએસ આતંકીને માર મારવાનો મામલો, ૩ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

    November 19, 2025
    ગુજરાત

    Cyber ​​slavery racket : નીલ વધુ 1000 ને વિદેશમાં મોકલવાનો હતો

    November 19, 2025
    ગુજરાત

    દરોડા કાર્યવાહી બાદ 22 મહિને `સેટિસ્ટફેકશન નોટ’ લખી આવકવેરાની તમામ નોટીસો રદ કરતી હાઈકોર્ટ

    November 19, 2025
    ગુજરાત

    ટ્રાફિક પોલીસની અછત દુર કરવા વચગાળાની વ્યવસ્થા કરવા સરકારને High Court નો આદેશ

    November 19, 2025
    અમદાવાદ

    વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ કોન્સ્ટેબલના જામીન ફગાવતી High Court

    November 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025

    Mount Abu માં તાપમાન -૨ ડિગ્રી પહોંચતાં ધ્રૂજી રહ્યા છે લોકો

    November 19, 2025

    Meenakshi Hoodaની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં એન્ટ્રી

    November 19, 2025

    Delhi-Mumbai Expressway વે પર બેકાબૂ કારે ૫ શ્રમિકોને કચડ્યાં

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.