કાશ્મીરના પહેલગાવમાં મૃતકોને શ્રદ્ધાંજલિ બાદ, તમામે આઈસ્ક્રીમ આરોગ્યુ
Jetpur,તા.28
રાજકોટ આવેલી જેતપુર નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારે યોજાઈ હતી. આ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત મિટિંગમાં તમામ ઉપસ્થિત સદસ્યોએ પહેલગાવમાં થયેલા આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પરંતુ શ્રદ્ધાંજલિ બાદ તરત જ આઈસ્ક્રીમ તમામ ઉપસ્થિત સભ્યોએ આરોગ્ય હતું, હાજર પરના લોકોમાં પણ ફિટકાર સભ્યો પર વરસ્યો હતો
નગરપાલિકાના હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી સહિત 17 સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા સમિતિઓમાં વિપક્ષના એક પણ સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહતું.સભાની શરૂઆતમાં કાશ્મીરના પહેલગામમાં અવસાન પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાના પ્રમુખ મેનાબેન ઉસદડિયા અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ ખાતાઓની વહેંચણી કરવામાં આવી હતી અને પ્રજાના પૈસા લીલાલેર કરતા આ સદસ્યોએ મૃતકકોને શ્રદ્ધાંજલિની ગરીમા પણ જાળવી ન શક્યા અને તમામે આઈસ્ક્રીમ આરોગ્યુ સભામાં કારોબારી સમિતિ સહિત 17 સમિતિઓની રચના અને અધ્યક્ષોની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને સભ્યોનું મેન્ડેટ લઈને ભાજપ શહેર પ્રમુખ સભામાં પહોંચ્યા હતા, જેમાં તેમણે સમિતિના અધ્યક્ષો અને સભ્યોના નામની જાહેરાત કરી હતી.જેતપુર નગરપાલિકામાં વિવિધ સમિતિની રચના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ મોટા ભાગની સમિતિમાં વિપક્ષના સભ્યોને પણ સ્થાન આપવામાં આવતું હોય છે. પરંતુ ભાજપ મોવડી મંડળે આ વખતે આ પરંપરા તોડી છે અને વિપક્ષના એક પણ સભ્યોને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિપક્ષના સભ્યો પણ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે તેમની અવગણના કરવામાં આવતા વિપક્ષની સાથે સાથે કેટલાક રાજકીય વિશ્લેષકો પણ ભાજપની નીતિને વખોડી રહ્યા છે.