Rajkot,તા.09
શ્રી હરમભજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા તાજેતરમાં એસ પી તરીકે બઢતી પામેલા પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાનુ તા. ૧૧ ને, બુધવારે સાંજે ૬ વાગ્યે રજપુત સ્થિત શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાશે જેમાં સમાજના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના સુકી સાજડીયાળી ગામના વતની અને હાલ અમદાવાદ જે ડિવિઝનમાં એસીપી ફરજ બજાવતા પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને એસપી તરીકે પ્રમોશન મળતા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય અને તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભ તા. ૧૧ ને, બુધવાર સાંજે ૦૬-૦૦ વાગ્યે શ્રી હરમભજીરાજ ગરાસીયા છાત્રાલય, ૫-રજપુતપરા ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાન માંધાતાસિંહજી જાડેજા ઠાકોર સાહેબ ઓફ રાજકોટ રહેશે. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહજી જાડેજાએ પોતાની કારકિર્દીનો પ્રારંભ પીએસઆઈ તરીકે કરેલો તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં ફરજ બજાવી છે. એમા ખાસ કરીને લીંબડી, ભાવનગર, જુનાગઢ સહિત સ્થળોએ ફરજ દરમિયાન પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી સામાજિક સેવાઓને લોકો આજે પણ યાદ કરે છે, સરળ, વિનમ્ર અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા પ્રદિપસિંહજી જાડેજાએ સમાજનું નામ રોશન કરી ખુબ સારી લોકચાહના પ્રાપ્ત કરી છે, આ સન્માન સમારંભમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામા આવે છે.