Raipur,તા.12
છતીસગઢની રાજધાની રાયપુરમાં એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક રવિવારે મોડી રાત્રે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ભીષણ ટકકર થઈ ગઈ હતી. જેમાં 13 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જેમને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 7 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે.
ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશૂના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છતીસગઢનાં ચટૌદ ગામના વતની પુનિત સાહુના સબંધીઓ હતા.