દંપતી વચ્ચે અણબનાવથી કુળવધુ રિસામણે જતા જીવન નિર્વાહ માટે દાદ માંગી તી
Rajkot,તા.07
માત્ર એક – દોઢ વર્ષના જ લગ્નજીવનમાં દંપતી વચ્ચે અણબનાવને કારણે ડોમેસ્ટિક વાયોલેન્સની ફરિયાદ સાથે વચગાળાનું ભરણપોષણ મેળવવાની કરેલી અરજી અદાલતે માન્ય રાખી હાલ માવતર રહેતી પત્નીને રૂપિયા 5000 માસિક વચગાળાનું ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, હાલ રેલનગ૨, રાજકોટમાં રહેતી પરિણીતા રાધિકાબેન ડો/ઓ સુખાભાઈ જોગડીયાના લગ્ન રાણપુર નવાગામ (તા. રાજકોટ)ના મહેશભાઈ લાખાભાઈ ધામેચા સાથે તા. ૨૩/ ૦૨/ ૨૦૨૩ના રોજ થયેલ હતા, સંયુક્ત કુટુંબમાં લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં રાધિકાબેન પોતાના માવતરે પરત ફરેલ હતી. તેણે પોતાના પતિ મહેશભાઈ લાખાભાઈ ધામેચા વિરૂદ્ધ રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્ટિક વાયલોન્સ એકટ હેઠળ ભરણપોષણની ફરિયાદ તા. ૨૩/ ૦૮/ ૨૦૨૪ના રોજ પોતના વકીલ જગદિશ બી. નારીગરા મારફતે દાખલ કરી હતી, તે સાથે કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળામાં પણ ભરણપોષણની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ પર આવતાં પરિણીતાના વકીલની લંબાણ પૂર્વકની દલીલોને સહમત થઈ અદાલતે કેસ ચાલે તે દરમ્યાન વચગાળામાં પરિણીતાને માસિક રૂા. ૫,૦૦૦/- વચગાળાનું ભરણ-પોષણ પેટે અરજી તારીખથી ચડયેચડયા ચૂકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં પરિણીતા વતી એડવોકેટ જગદિશ નારીગરા, ભારતીબેન રાણેવાડીયા, ઓમ મકવાણા રોકાયા હતા.