Mumbai,તા.20
આજના ડિજીટલ યુગમાં પૈસા મોકલવા અને મેળવવાનું અત્યંત સરળ બની ગયું છે. હવે ક્યૂઆર કોડ સ્કેન કરીને તમે વિશ્વના કોઈપણ ખૂણામાં પૈસા મોકલી કરી શકો છો. પરંતુ ઘણીવાર ઉતાવળમાં અથવા બેદરકારીના કારણે પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં આ પૈસા પાછા મેળવવા માટે શું કરવું જોઈએ? આ અંગે વિગતવાર જાણીએ…
આરબીઆઈની નવી ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી ગાઈડલાઈન અનુસાર, જો તમે ઉતાવળમાં અથવા બેદરકારીના કારણે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય, તો તમે તેને 48 કલાકની અંદર પરત મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.
સૌથી પહેલા એ વ્યક્તિનો સંપર્ક કરો કે જેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તેને જણાવો કે તેમના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. તેમને વિનંતી કરો કે પૈસા પરત મોકલી દે. જો તે પૈસા પરત કરવા ઈચ્છુક હોય તો આ સમસ્યા હલ થઈ શકે છે.
બેંકમાં જાણ કરવી
આ સમસ્યા વિશે તરત જ તમારી બેંકને જાણ કરો. બેંક શાખાની મુલાકાત લઈને અથવા ટોલ ફ્રી નંબર 18001201740 પર ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવો. બેંક તમને મદદ કરવા માટે જરૂરી પગલાં લેશે.
પેમેન્ટ એપ કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવવી
જો તમે પેમેન્ટ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો એપના કસ્ટમર કેર અથવા સપોર્ટ સેક્શનમાં જઈને તમારી ફરિયાદ નોંધાવો. તેઓ તમારી ફરિયાદને ધ્યાનમાં રાખીને સમસ્યાનો ઉકેલ શોધી શકે છે.
RBIની વેબસાઈટ પર ફરિયાદ દાખલ કરો
આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ (https://www.rbi.org.in/)પર જાઓ અને તમારી ફરિયાદ નોંધાવો. અહીં તમે ઓનલાઈન ફરિયાદ ફોર્મ ભરીને તમારી સમસ્યા રજીસ્ટર કરી શકો છો.
NPCI પોર્ટલ પર ફરિયાદ કરો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. NPCI ભારતમાં UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ પર નજર રાખે છે અને તમારી ફરિયાદ ઉકેલવામાં મદદ કરી શકે છે.