Karnataka.તા.2
દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને કરચોરીના મામલામાં મોટી રાહત મળી છે. કર્ણાટક સરકારે કંપનીને મોકલેલી રૂ।.32,403 કરોડની નોટિસ પાછી ખેંચી લીધી છે.
ઇન્ફોસિસ પર કરચોરી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી કે, કંપનીએ જુલાઈ 2017 થી 2022 સુધીના સમયગાળા દરમિયાન તેની વિદેશી શાખાઓ પાસેથી સેવાઓ મેળવી હતી પરંતુ તેના પર રૂ। 32,403 કરોડનો ટેક્સ ચૂકવ્યો ન હતો.
કંપનીને એક દિવસ પહેલા જ આ જીએસટીની ડિમાન્ડ નોટિસ મળી હતી અને જીએસટી ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલે ટેક્સ દસ્તાવેજમાં જણાવાયું છે કે ઇન્ફોસિસ, સેવાઓ પ્રાપ્તકર્તા તરીકે, સેવાઓની આયાત પર આઇજીએસટીની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે.
ડીજીજીઆઇ તરફથી મળેલી આ નોટિસને કારણ બતાવો પહેલાની નોટિસ ગણાવીને ઈન્ફોસિસે ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે નિયમો અનુસાર આવા ખર્ચ પર જીએસટી લાગુ પડતો નથી.
ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર,જીએસટી કાઉન્સિલની ભલામણો પર સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, વિદેશી શાખાઓ દ્વારા ભારતીય એન્ટિટીને પૂરી પાડવામાં આવતી સેવાઓ જીએસટીને આધીન નથી. આ પછી સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, ઇન્ફોસિસે જણાવ્યું હતું કે કંપનીને કર્ણાટક રાજ્ય તરફથી મોકલવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે.