જે ટ્રેનો રાત્રે અમૃતસર, જમ્મુ અને ફિરોઝપુર જેવા સરહદી વિસ્તારોમાં પસાર થતી હતી તે સવારે નીકળશે
New Delhi, તા.૧૦
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેએ આજે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ અને પંજાબના સરહદી વિસ્તારોમાં રાત્રે ટ્રેનો દોડશે નહીં. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રાત્રે અમૃતસર, ભટિંડા, ફિરોઝપુર, જમ્મુ જેવા સ્થળોએથી પસાર થતી ટ્રેનોનું સમયપત્રક હવે રિશેડ્યુલ કરવામાં આવશે. આ સ્થળોએથી પસાર થતી ટ્રેનોનું સમયપત્રક ફરીથી બનાવવામાં આવશે અને સવારે ટ્રેનો દોડાવવામાં આવશે. તો ટૂંકા અંતરની ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જે ટ્રેનો રાત્રે અમૃતસર, જમ્મુ અને ફિરોઝપુર જેવા સરહદી વિસ્તારોમાં પસાર થતી હતી તે સવારે નીકળશે. આ નિર્ણયને કારણે ૧૫થી વધુ ટ્રેનો પ્રભાવિત થશે. જોકે, મુસાફરોને લાવવા માટે રેલવેએ દિવસ દરમિયાન ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. દિવસ દરમિયાન દોડતી બધી ટ્રેનો રાબેતા મુજબ દોડશે.
સુરક્ષાની દૃષ્ટિએ રેલવેના આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જેથી સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી હુમલાનું જોખમ ન રહે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
૯ મેની રાત્રે પાકિસ્તાને નિયંત્રણ રેખા (ર્ન્ઝ્ર) પર ૨૬ અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો, જેના પગલે ભારતે જોરદાર જવાબ આપ્યો.
આ હુમલા અને જવાબી ગોળીબારને કારણે સરહદ પરના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને રાજૌરીમાં ગોળીબાર થઈ રહ્યો છે. સતત થઈ રહેલા વિસ્ફોટોને કારણે સ્થાનિક ઘરો અને મિલકતોને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.