ભારતીય ચલચિત્ર જગતના તમામ નિર્માતાઓએ હંમેશા ભારતીય પ્રેક્ષકોની પસંદગીનો ખ્યાલ ચોક્કસપણે રાખ્યો છે. આ દેશમાં હંમેશા બનતા બનાવો ઘટનાઓ તેમજ લોકોની પસંદગીની બાબતોને ધ્યાનમાં લઈને ભારતીય ચલચિત્ર જગતના વાર્તાકારો, લેખકો અને તે સાથે ગીતકારો પણ પોતાની કલાને ચલચિત્રના રૂપમાં મૂકવા તત્પર જ રહેતા આવ્યા છે.
ભારતીય ચલચિત્ર જગતની જ્યારે મૌનમાં જ શરુઆત થઈ હતી ત્યારે કેટલીક જાણીતી બાબતોને પ્રેક્ષકો સામે મૂકવામાં આવતી જેમ કે રામાયણનો એકાદ પ્રસંગ લઈને કલાકારોને તે રીતે વેશભૂષામાં તૈયાર કરીને કેમેરા સામે અભિનય કરાવવામાં આવતા જેમાં કેાઈ સંવાદ કે સંગીત હતા જ નહીં પણ ફકત હાલતા ચાલતા દૃશ્યો જોઈને પ્રેક્ષકો પોતાના પસંદગીના દેવ દેવતાઓને જીવંત રૂપમાં જોઈને મનોરંજન મેળવી લેતા હતા તો કેટલાક ખૂબ જ શ્રદ્ધાળુ પ્રેક્ષકો તો પોતાના ઈષ્ટદેવતા દેવીઓને સાક્ષાત નજરે નિહાળીને થિયેટરોમાં પૈસા ફેંકતા કે પછી પ્રસાદ પર ચડાવતા હતા. આ પ્રકારના બનાવો બોલપટ ચલચિત્રો વખતે થોડા સમય પહેલાં ખાસ કરીને ધાર્મિક ચલચિત્ર સંતોષીમાં માં થયેલ હતા. મુંબઈ ખાતેના સિનેમાઘરોમાં તો આ ચલચિત્રની શરુઆત પહેલાં પ્રેક્ષકો પોતાના પગરખા થિયેટરોની બહાર ઉતારતીને આવા હતા તો કેટલાક પ્રેક્ષકો તો પ્રસાદી લઈને જ આવતા હતા અને ઈન્ટરવેલમાં પ્રસાદનું વિતરણ કરતા હતા તો કેટલાક પ્રેક્ષકો ધર્મભાવનામાં આવીને પૈસા પણ પડદા પાસે ફેંકતા હતા.
પ્રેક્ષકોની આ ભાવનાને જાણીને નિર્માતાઓ પણ પ્રેક્ષકોની પસંદગી અનુસારના ચલચિત્રો રજૂ કરતા હતા. એક એવો સમય પણ આવ્યો હતો કે નિર્માતાઓએ અનેક એવા ચલચિત્રો રજૂ કર્યાં હતા. જેમાં ભારતભરની જાણીતી અમર પ્રેમ કથાઓ હતી જેમ કે લૈલા મજનુ, શીરી ફરહાદ, સલીમ અનારકલી વિ. વિ. જાણીતી પ્રેમ કથા અનારકલી પરથી તો ભારતના નિર્માતાઓ દ્વારા બે-ચાર વખત ચલચિત્રો રજૂ થઈ ચૂક્યા હતા. ૧૯૪૨-૪૩ના અરસામાં અનારકલી બની હતી તે પછી પણ પ્રદીપકુમાર બીનારોય અભિનીત અનારકલીનું સર્જન થયેલ હતું તે પછી ખૂબજ સફળ રહેલ મોગલે આઝમમાં પણ સલીમ અને અનારકલીની પ્રેમકથા રજૂ થયેલ હતી જે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકી હતી.
સલીમ અનારકલીની જાણીતી કહાણી હતી જેમાં અનારકલી એક મૂર્તિકારની પુત્રી હતી જે મોગલ સમ્રાટના દરબારમાં તે પછી નર્તકી તરીકે જાણીતી થઈ હતી. આ અનારકલીનું રૂપ તો એટલું સુંદર હતું કે બાદશાહ અકબરનો સહજાદો સલીમ તેના પર એટલો તો આફ્રિન થઈ ગયો હતો કે તેણે કોઈપણ બાબતની પરવા કર્યા વિના અનારકલીને પોતાની બેગમ બનાવવાની જીદ લીધી હતી. આ જાણીતી કથાને સૌથી વધારે તો મોગલે આઝમમાં ખૂબ જ વાસ્તવિકતાથી રજૂ કરવામાં આવી હતી જો કે આ પહેલાંના અનારકલી નામના ચલચિત્રમાં અંતિમ દૃશ્યોમાં ખુદ અકબર બાદશાહ અનારકલીને છુપી રીતે દેશવટો અપાવી દ્યે છે જ્યારે મોગલ-એ-આઝમમાં અનારકલીને જીવંત રૂપે દિવાલમાં ચણી દેવામાં આવે છે તેવું દર્શાવવામાં આવે છે.
શીરી ફરહાદની પ્રેમ કહાણી પંજાબ ખાતેની જાણીતી છે. આ નામનું એક ચલચિત્ર રજૂ થયેલ હતું જેમાં મુખ્ય અભિનેતા તરીકે પ્રદીપકુમાર હતા તેના ગીતો પણ જાણીતા થયા હતા. શીરી-ફરહાદની કહાણીમાં ફરહાદ એક શિલ્પીકાર હતો જેણે એક વાર રાજાના મહેલમાં મૂર્તિઓ બનાવવાના કામ દરમિયાન રાજકુમારીને જોઈને તે મંત્રમુગ્ધ બની ગયો હતો જો કે ફરહાદ ખૂબજ સોહામણો હતો અને તેનું શિલ્પી કામ પણ ચડિયાતું હતું. તેણે રાજકુમારીને ફકત એક જ વખત નિહાળીા હતી આમ છતાં તેનું એક શિલ્પ મહેલમાં જ બનાવીને રાજકુમારીનું દિલ જીતી લીધું હતું આ પછી રાજકુમારી અને ફરહાદ અવારનવાર છુપી રીતે મળતા હતા. શીરીના પિતા એટલે કે દેશના મહારાજાને જાણ થતાં જ બન્નેની મુલાકાત પર પહેરો લગાવી દીધો હતો આમ છતાં શીરીનો ફરહાદ પ્રત્યેનો પ્રેમ જોઈને શીરીના પિતાએ માન-સન્માન મહેલમાં બોલાવીને એક શરત મૂકી હતી. મહારાજાએ જણાવ્યું હતું કે, પોતે શીરીનો હાથ આપવા તૈયાર છે પરંતુ ફરહાદને એક કામ કરવાનું હતું પોતાના રાજ્યમાં પાણીની તકલીફ હતી સરોવર સુકાઈ ગયા હતા પણ રાજ્યમાં આવેલ એક પર્વતની પાછળ જળનો વિપુલ જથ્થો આવેલ હતો. શીરીના પિતા બાદશાહે ફરમાન કર્યું કે ફરહાદ પોતે એકલો જ એ પર્વત પર જઈને પર્વતમાંથી નહેર બનાવે તો તેમાંથી પાણીનો જથ્થો રાજ્યમાં આવી શકે જેથી નગરજનો પણ રાજી રહેશે અને શીરીનો પ્રેમ પણ ફરહાદ મેળવી શકશે. જો કે આ કામ અશક્ય હતું. આમ છતાં પ્રેમમાં દિવાનો બનેલ ફરહાદ તુરત જ તે પર્વત પર પહોંચી ગયો હતો અને કેટલાય વરસો પછી તેણે તે કામ જ્યારે પૂર્ણ કર્યું ત્યારે બાદશાહ ખુશ થવાને બદલે નારાજ થઈ ગયા તેમણે પોતાની હાર કબુલ નહોતી નગરમાં પુષ્કળ જળનું આગમન થઈ ગયું હતું. પ્રજા અને ખુદ શીરી આનંદ મનાવી રહ્યા હતા જ્યારે બાદશાહના મનમાં કપટ રમતું હતું. તેણે પોતાના વફાદાર નોકરોમાંથી એક ડોસી નોકરાનીને ફરહાદ પાસે મોકલીને એવા સમાચાર મોકલ્યા કે શીરી તો વાટ જોતી જોતી જ બિમારીમાં જ ગુજરી ગઈ હતી. આ સમાચારથી વ્યથિત થયેલા ફરહાદે પોતાના હથિયાર વડે જ પોતાની હત્યા કરી નાખી હતી. નગરમાં જ્યારે પાણીના જથ્થા સાથે ફરહાદનું પુષ્કળ લોહી વહેતું જોવામાં આવ્યું તો નગરજનોને આશ્ચર્ય અને આઘાત લાગ્યો હતો જ્યારે શીરીને ખબર મળતા તે પાગલ જ થઈ ગઈ હતી તેણીએ પોતાની જાતને મહેલમાં જ ખતમ કરી નાખી હતી. આ રીતે અમરપ્રેમીઓનો ખૂબ જ ખરાબ રીતે અંત આવ્યો હતેા. જો કે આ પ્રકારની કથા પર તૈયાર થયેલ ચલચિત્રમાં છેલ્લે પાણીના જથ્થાની સાથે ફરહાદનું લોહી તો વહેતું દર્શાવવામાં આવેલ હતું તે સાથે પછીથી દુધની ધારા પણ થઈ રહી છે તેવું દર્શાવવામાં આવેલ હતું. આ ચલચિત્રમાં પ્રદીપકુમારનો અભિનય ખૂબ જ પ્રશંસનીય હતો.
મોટાભાગે પ્રેમકથાઓ પંજાબ અને ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત રહેલ છે. તેમાં પણ અરબસ્તાની પ્રેમકથા પર થી તો અનેક ચલચિત્રોના નિર્માણ થઈ ચુક્યા છે. અરબસ્તાની પ્રેમકથા ‘લૈલા-મજનુ’ આજે પણ તેટલી જ જાણીતી છે. આજે પણ બોલચાલની ભાષામાં પ્રેમમાં પાગલ બનેલા યુવકને મજનુના નામે અને પ્રેમમાં દિવાની બનેલી યુવતીને લૈલાના નામે પુકારવામાં આવે છે. આ પ્રાચીન કથામાં એવું કહેવામાં આવ્યું હતું કે, આરબના બાદશાહ શાહ અમારીના પુત્રના હાથમાં પ્રેમની લકીર હોવાનું જાણીતા જ્યોતિષીઓ બાદશાહને જણાવતા હતા. રાજ્યના પ્રખર ભવિષ્યેવક્તાએાનો દાવો હતો કે બાદશાહનો એકલોતો પુત્ર કેશ જે ખરેખર એક વખત પ્રેમ દિવાનો બનીને ખૂબ જ પરેશાની ભોગવશે તે પ્રેમમાં પાગલ બનીને ભટકતો જ રહેશે. તેને લોકો પાગલ જ સમજશે. જો કે શાહ આમીર તેવું નહોતા ઈચ્છતા તેણે તો પોતાના શાહજાદાને મહેલમાં જ બંદી બનાવીને રાજપાટની તમામ ખુશીઓ ન્યોછાવર કરી દીધી હતી. આમ છતાં કુદરતના લખેલા લેખને કોઈ મીટાવી શક્યું નથી તેમ કેશ એક પંખીની જેમ મહેલમાંથી ક્યારે નાસી ગયો તેની જાણ કોઈને થઈ જ નહીં.
પ્રેમની લકીરમાં ખેંચાયેલો શાહજાદા જ્યારે દમિશ્કની એક મસ્જિદમાં લૈલાન દિલ દઈ બેઠો હતો તે પછી તે લગભગ લૈલાની પાછળ જ દિવાનો બની ઘુમતો હતો તેની આ હરકત જોઈને અનેક મૌલવીઓએ તેને સમજાવ્યો હતો કે પોતે એક શહેરનાદનો શાહજાદોછે તેને અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ તેમજ ભવિષ્યમાં તે શહેનશાહ બનશે ત્યારે પ્રજાનું પણ ધ્યાન રાખવું પડશે. પ્રજાને આ શાહજાદા માટે અસીમ પ્રેમ હતો પણ આ મજનુ લૈલાના પ્યારમાં એટલો તો બાવરો બની ગયો હતો કે તે ભૂખ તરસની પણ પરવા કર્યાં વગર લૈલાને મળવા સિવાય કોઈની પણ ફીકર રાખતો નહોતો. લૈલા પણ તેટલી જ દિવાની હતી તે મજનુ સિવાય રહી શકતી જ નહોતી બન્ને છુપી રીતે ક્યાં ન ક્યાં જરૂર મળતા જ્યારે લોકોની નજરે ચડી જતાં તો બન્નેના વાલીજનો તેની બરાબરની પીટાઈ કરતા હતા જ્યારે કેશ તો રસ્તા પર લૈલા સિવાય કોઈનું રટણ જ નહોતો કરતો પરિણામ એ આવ્યું કે રાજ્યના પ્રજાજનો નગરના મોટા ચોકમાં તેને કોઈ થાંભલા સાથે બાંધીને તેના પર પત્થરોનો મારો વરસાવતા હતા. આ હુકમ ખુદ કેશના પિતાએ જ પ્રજાજનોને કર્યો હતો લૈલા આ તમાશો જોઈને તે દર્દથી પીડાતી હતી તે અનેકવાર લેાકેાને સમજાવતી કે પત્થર સે ના મારો મેરે દિવાનો કો…
લૈલાને પણ પ્રેમી દિવાની જાણીને તેના વાલીઓએ તેને પોતાના મહેલમાં કેદ કરી લીધી હતી. આ પછી લૈલાને નહી જોતા કેશ વધુ પાગલ જેવો બની ગયો હતેા તે એકાંતમાં જઈને લૈલા વિશે કવિતા લખતો અને નગરમાં ચોરે ચોટે બેસીને બધાને લૈલાના પ્યારની કવિતા સંભળાવતો ત્યારે પ્રજાજનોએ તેને મજનુ નો ઈલ્કાબ આપીને પ્રેમમાં પાગલ ગણાવી દીધો હતો. કહેવાય છે કે કેશ અને લૈલાની મહોબત ખરેખર સાચી હતી પણ પ્રજાજનો તેને તો મજાક જ સમજી બેઠા હતા. ખુદ બન્નેના વાલીઓ પણ કેશ અને લૈલાની મહોબતને સંમતિ આપવાને બદલે તેની ક્રુર મજાક કરતા હતા.
લૈલાના પિતાને કેશની મહોબત કબુલ નહોતી એટલે તેમણે લૈલાના નિકાહ બાજુના શહેરના શાહજાદા બખ્ત સાથે કરાવી દીધા હતા પરંતુ ત્યાં જઈને પણ લૈલાએ પોતાના શૌરને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે પોતે અને તેનું આ શરીર ફકત કેશ માટે જ છે તે ક્યારે પણ તેની પત્ની થઈ શકશે જ નહીં. આખરે પેલા શાહજાદાએ લૈલાને તલ્લાક આપી દીધા અને લૈલા ત્યાંથી કેશની શોધમાં ભટકતી રહી આખરે બન્નેનું મિલન કોઈ અલગ જ જગ્યાએ થતાં તેઓ વિશાળ રણમાં અકે સુમસામ જગ્યાએ રહેવા લાગ્યા જ્યારે લૈલાની માંને તેની જાણ થઈ ત્યારે કેટલાક લોકોને લઈને લૈલાને કેશથી અલગ કરાવી પોતાને ત્યાં બંધક બનાવી દીધી હતી જ્યાં આખરે લૈલાએ પોતાનું જીવન મજનુની યાદમાં ટૂંકાવી દીધું હતું. આ બાબતની જાણ જ્યારે કશ એટલે કે મજનુને થતાં જ તે આખરે ખરેખર પાગલ જ બની ગયો.
કહેવાય છે કે જ્યાં લૈલાને દફનાવવામાં આવ્યા હતા ત્યાં જ માથું પછાડી પછાડીને મજનુએ દમ તોડ્યો હતો. પ્રેમમાં દિવાના બનેલા મજનુની આવી હાલત જોઈને પ્રેમ પ્રત્યેની વફાદારીને નિહાળીને આ પછી લોકોને તેમની પ્રેમ ભાવનાની સમજ પડી હતી તેમને સાચા પ્રેમી ગણવામાં આવ્યા હતા. આ પછી કહેવાય છે કે મજનુની પણ કબર લૈલાની બાજુમાં જ રાખવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાનની સરહદ પાસેના એક ગામ બિજોર પાસે એક કબ્રસ્તાનમાં આજે પણ તેમની કબર છે જ્યાં હજારો પ્રેમીઓ તે વિસ્તારના પ્રજાજનો આ કબ્ર પાસે આવે છે ધુપ દિવા કરે છે અને મજનુ અને લૈલાના પ્રેમ બલિદાનની વાતો કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે. લૈલા મજનુની મજાર પર હવે તો દેશ વિદેશથી પણ હજારો લોકો મુલાકાત માટે આવે છે. લૈલા મજનુના નામ પર ભારતીય ચલચિત્ર જગત દ્વારા અનેક ચલચિત્રો રજૂ થઈ ચૂકેલા છે જે સફળ રહ્યાં હતા.
હીર-રાંઝા’ પણ એવો જ અદ્ભૂત પ્રેમ કહાણી છે. આ નામ પર ચેતન આનંદ દ્વારા એક ચલચિત્ર રજૂ થયેલ હતું જેમાં પ્રિયા રાજવંશની મુખ્ય ભૂમિકા હતી. આ ચલચિત્ર ફકત ગીત-સંગીતને કારણે જ સફળ રહ્યું હતું જો કે તેમાં રાજકુમારનો અભિનય પણ વખાણવા લાયક રહ્યો હતો.
હીર રાંઝા એક નવલકથાના રુપમાં રજૂ થઈ હતી જેના લેખક હતા ખ્યાતનામ સાહિત્યકાર વારિસ શાહ તેમની કથા અનુસાર હીર એક ધનવાન વેપારીની પુત્રી હતી તેણી ખૂબસુરત હતી તેના જેવી કોઈપણ સુંદર યુવતી તે નગરમાં નહોતી. કહેવાય છે કે તે પાણી પીતી હોય ત્યારે તેના ગળામાં જાણે પાણીની ધાર દેખાતી હોય તેવી તેની સ્નિગ્ધ રુપાળી ચામડી હતી. જ્યારે રાંઝા એક મધ્યમ વર્ગના પિતાના ચાર પુત્રોમાંનો સૌથી નાનો પુત્ર હતો તેના પિતા નગરમાં એક ખ્યાતનામ વેપારી હતા. રાંઝાની એક વખતની મુલાકાતમાં હીર રાંઝાની દિવાનગી બની ગઈ હતી. જ્યારે રાંઝા પણ બધા કામ કાજ છોડીને બસ હીરના જ ગુણ ગાતો હતો પરિણામ એ આવ્યું કે પોતાના પરિવારમાં તે અણગમતો થઈ ગયો હતો. આખરે હીરના કારણે રાંઝાએ પોતાનું ગામ છોડીને હીરના ગામમાં જઈને હીરના બંગલામાં પશુઓને સાચવવાની નોકરી સ્વીકારી હતી. અલબત હીર પ્રત્યેના પાગલપનની હીરના માતા-પિતાને જાણ નહોતી જ્યારે હીર અને રાંઝા છુપી રીતે કોઈ અજ્ઞાત જગ્યાએ પ્રેમાલાપ કરતા હતા.
હીર અને રાંઝાની પ્રેમ દિવાનગીની જ્યારે હીરના ચાચાને ખબર પડી કે તુરત જ હીરને અન્યત્ર પરણાવા માટેની વિધિઓ તેના માતા-પિતાએ શરુ કરી દીધી હતી. હીરના નિકાહ થયા પછી રાંઝા તેના ઘરનો ત્યાગ કરીને તે દર દર ભટકતો જ રહ્યો તે સાધુ જ બની ગયો હતો. રખડતા રખડતા તેની મુલાકાત જ્યાં હીરના નિકાહ થયા હતા ત્યાં હીરના મહેલ પાસે થઈ હતી. બન્નેએ ભાગી જવા માટે કોશિશ કરી હતી પણ હીરના પતિના માણસોએ બન્નેને ઝડપી લીધા હતા. રાંઝાને સખત માર પડી હતી. રાંઝાને કેદ કરવામાં આવ્યા હતા તે સમયે જ નગરમાં પ્રચંડ આગ લાગી હતી. લોકોએ જણાવ્યું કે હીર અને રાંઝાની સાચી પ્રેમ કહાણીમાં જે વિક્ષેપ થયેલ છે તેને કારણે જ કુદરત નારાજ હતી. પરિણામે આગ લાગી હતી. આ જાણીને તે નગરના બાદશાહે બન્નેને છોડી મૂકવા એલાન કર્યું હતું.
હીર અને રાંઝાને આઝાદ કરવામાં આવ્યા. બન્ને રાંઝાના મુકામે ગયા ત્યાં બન્નેના નિકાહ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પછી જ્યારે હીરના ચાચાને ખબર પડી કે તેએા ભેટ સોગાદ સાથે કાતિલ ઝેર છુપાવીને હીર રાંઝાને મળવા ગયા હતા. અહીં હીરને ભેટ સોગાદો આપીને સાથે એક પીણું આપ્યું હતું જે પીધા પછી હીરએ પોતાના પ્રાણ ત્યાગી દીધો. હીર તો જાણી જ ગઈ હતી પણ ઝેર પીધા પછી તે પોતાના ચાચાને કંઈ પણ કહી શકી નહીં. હીરના અવસાન બાદ રાંઝા પણ તેની દફનવિધી બાદ તેની કબર પાસે જ પોતાનો દમ તોડી દીધો હતેા. આજે પણ પંજાબમાં આ બન્નેની પ્રેમ ગાથા ખૂબ જ પ્રસિદ્ધ છે. બન્નેના પ્રેમ પરની પંજાબમાં અનેક ફિલ્મો રજૂ થતી રહે છે.
પંજાબ અને સિંધમાં અનેક પ્રેમ કહાણીઓ પ્રચલિત થયેલ છે તેના અંજામ ખૂબ જ ખરાબ રીતે આવેલા છે અનેક પ્રેમકથાઓ પ્રેમીઓના દુઃખદ અંત પછી પ્રજાજનોમાં લોકપ્રિય બની છે તેવી જ એક પ્રેમકહાણી સોહની મહિવાલની પણ પ્રસિદ્ધ કહાણી છે. પંજાબની ધરતી પર જાણીતી થયેલ આ બન્ને પ્રેમીઓની કથા પણ તેટલી જ કરુણાભરી છે. આ પ્રેમ કથાની મુખ્ય નાયિકા સોહની સિંઘ વિસ્તારના એક નાનકડા ગામના કુંભાર પરિવારની એકલોતી અને સ્વરુપવાન પુત્રી હતી. સોહની ખૂબ જ હોશિયાર હતી તેણી હંમેશા પોતાના કુંભાર પિતાએ બનાવેલા માટીના વાસણો પર સુંદર ચિત્રકામ કરીને નગરજનોમાં વેચાણ કરીને સારી એવી આવક પોતાના પરિવાર માટે કમાવી લાવતી હતી.
કહેવાય છે કે એક દિવસે ઉઝબેકિસ્તાનથી એક ધનિક વેપારી ભારત આવ્યો હતો જ્યારે સોહનીને અને તેની કલાગીરીને નિહાળી ત્યારે તે મંત્રમુગ્ધ બની ગયો હતો. આ પછી તો તે દરરોજ કુંભાર તુલા પાસે આવીને અનેક સુવર્ણમુદ્રાઓ આપીને તમામ ચિત્રકામથી બનાવેલા વાસણો ખરીદ કરીને સોહની તરફ નજર કરીને ચાલ્યો જતો હતો. આ ધનવાન વેપારીની મુલાકાત દરમિયાન સોહની પણ આકર્ષિત થઈ ગઈ હતી. તેણી તે વેપારીને ચાહવા લાગી પરિણામ એ આવ્યું કે પોતાની ધનિકતા છુપાવીને તે વેપારી સોહનીના મકાનના આંગણામાં ભેંસો ચરાવવા માટે નોકર બનીને રહેવા લાગ્યો. સોહનીના પિતાને જ્યારે ખબર પડી કે તે વેપારી સોહનીના પ્રેમમાં પાગલ છે એટલે તુરત જ પોતાની જ્ઞાતિના એક યુવાન સાથે સોહનીના લગ્ન કરાવી નાખ્યા.
આ ધનિક વેપારીએ પોતે જ મહિવાલ હતો જ્યારે તેનેત સોહનીના લગ્નની ખબર પડી એટલે તે તેના પ્રેમમાં દિવાનો બની ગયો તે બીજા નગરમાં વસવા લાગ્યો જ્યાં સોહનીના લગ્ન થયા હતા ત્યાં તે સાધુ બનીને રહેવા લાગ્યો. સોહનીને જાણ થઈ એટલે તે છુપી રીતે મહિવાલની મળવા લાગી. આખરે સોહનીના સંબંધીઓએ બન્ને શહીદ બનાવી દીધા.