New Delhi,તા.૮
આઇપીએલમાં રમી રહેલી દરેક ફ્રેન્ચાઈઝીના માલિક એ વાતનો પ્રયાસ કરે છે કે તેઓ જે પણ પૈસા ખર્ચે છે, તેનો ફાયદો તેમની ટીમને થાય. પરંતુ એવું લાગે છે કે સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારનને તેના ખર્ચ કરેલા પૈસાનું નુકસાન થઈ રહ્યું છે. તે પણ ૩૯.૨૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે એસઆરએચના માલિક કાવ્યા મારને જે ૩ ખેલાડીઓ પર ૩૯.૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, તેઓ ટીમને જે રોકાણની અપેક્ષા અને જરૂર છે તે વળતર આપી રહ્યા નથી.
ગયા આઇપીએલ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં પહોંચ્યું હતું. ટીમ ફાઈનલમાં હારી ગઈ, પરંતુ પોતાના પ્રદર્શનથી આ ટીમે ચાહકોના દિલ જીતી લીધા હતા, જ્યારે વિરોધી ટીમોના મનમાં ડર પેદા કર્યો. આવી સ્થિતિમાં, નવી સિઝનમાં પણ આ ટીમ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ સિઝનની પહેલી મેચ સિવાય, સનરાઈઝર્સ આ સિઝનમાં વારંવાર નિષ્ફળ રહી છે અને તેનું એક મોટું કારણ ટીમની વિસ્ફોટક બેટિંગ લાઈન-અપ છે, જેણે તેની પ્રતિષ્ઠા મુજબ પ્રદર્શન કર્યું નથી.
આમાં પણ, ખાસ કરીને તે ૩ ખેલાડીઓનું પ્રદર્શન સૌથી વધુ નિરાશાજનક રહ્યું છે, જેમના પર કાવ્યા મારને મોટી રકમ ખર્ચી હતી. આ ત્રણ ખેલાડીઓ છે – ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ, યુવા ભારતીય ઓપનર અભિષેક શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન.
ગયા સિઝનના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, હેડ અને અભિષેકને ૨૮ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા. બંનેને ૧૪-૧૪ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કાવ્યા મારન દ્વારા લેવામાં આવ્યો હતો. જ્યારે મેગા ઓક્શનમાં ઈશાન કિશન પર ૧૧.૨૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ સિઝનની પહેલી મેચ બાદથી ત્રણેય બેટ્સમેન ફ્લોપ રહ્યા છે. પહેલી મેચમાં હૈદરાબાદે ૨૮૬ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આમાં ઈશાને ૧૦૬ રનની વિસ્ફોટક ઈનિંગ રમી.
પહેલી મેચમાં હેડે ૬૭ રન બનાવ્યા, જ્યારે અભિષેકે પણ ૨૪ રન ઝડપથી બનાવ્યા. આ પછી, ત્રણેય બેટ્સમેન પછીની ૪ મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે. હેડે પછીની ૪ ઈનિંગ્સમાં ફક્ત ૮૧ રન બનાવ્યા. અભિષેક અને ઈશાનની હાલત વધુ ખરાબ છે. આ ૪ ઈનિંગ્સમાં અભિષેકે ૨૭ રન બનાવ્યા છે અને ઈશાને ફક્ત ૨૧ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રશ્ન ચોક્કસપણે ઊભો થયા છે કે -એચઆરએચની માલકિન કાવ્યા મારને આ ત્રણ ખેલાડીઓ પર ૩૯.૨૫ કરોડ ખર્ચી શું ખોટનો સોદો કર્યો છે