Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»JAMNAGAR ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
    જામનગર

    JAMNAGAR ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.29

            ખંભાળિયાથી આશરે 23 કિલોમીટર દૂર ભાણખોખરી તથા કોટડીયા ગામ વચ્ચેની ગોલાઈ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર દરણું દળાવવા જઈ રહેલા સચિનભાઈ થારસીંગભાઈ ચૌહાણ તથા અન્ય એક યુવાનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇક સવાર સચિનભાઈ થાનસિંગભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

           અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ કોટડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા મૃતકના પિતા થાનસીંગભાઈ ભાલસિંગભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

    પૂરપાટ દોડતી કારની અડફેટે બાઈક સવાર યુવાનનું કરુણ મોત

          ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામથી મોટી ખોખરી ગામ તરફ જઈ રહેલા માર્ગ પર જી.જે. 10 ડી.એ. 0145 નંબરની મારુતિ સેલેરિયા મોટરકારના ચાલક હેમલભાઈ વલ્લભભાઈ ચૌહાણ (ઉ.વ. 40, રહે. સ્વામિનારાયણ ટાઉનશીપ, લાલપુર બાયપાસ, ખંભાળિયા) એ જી.જે. 37 કે. 1311 નંબરની હોન્ડા સાઈન મોટરસાયકલને અડફેટે લેતા આ મોટરસાયકલ પર જઈ રહેલા હરદાસભાઈ નારણભાઈ ડેર નામના 27 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

           આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના ભાઈ નિલેશભાઈ નારણભાઈ ડેર (ઉ.વ. 30, રહે. મોટી ખોખરી) ની ફરિયાદ પરથી કાર ચાલક હેમલભાઈ ચૌહાણ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.

    કલ્યાણપુર નજીક તળાવમાં ન્હાવા પડેલી યુવતીનું મૃત્યુ

          કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર ભાટવડીયા ગામની સીમમાં આવેલા તળાવમાં બરડીયા ગામના રહીશ લાભુબેન રાયમલભાઈ પરમાર નામના 22 વર્ષના પરિણીત મહિલા ન્હાવા ગયા હતા. ત્યારે તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

         મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ રાયમલભાઈ વીરાભાઈ પરમાર (ઉ.વ. 25, રહે. બરડીયા, તા. દ્વારકા) એ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. જેને અનુલક્ષીને ડીવાયએસપીના વડપણ હેઠળ સ્થાનિક પી.એસ.આઈ. ઝાલા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    ભાણવડ પંથકમાં ઝેરી જનાવર કરડી જતાં પરપ્રાંતિય તરુણીનું અપમૃત્યુ

          મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતા રહેતી કુસુમબેન ઉમરસિંગભાઈ રાવત નામની 17 વર્ષની તરુણી ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામની સીમમાં વાડીની ઓરડીમાં રાત્રિના સમયે સૂતી હતી. ત્યારે તેણીને ઝેરી જનાવર કરડી જતા ઉલટી અને ખેંચ ઉપડી આવી હતી. જેથી તેણીને અડવાણાની હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેણીની તબિયતના બગડ્યા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મામા કાદુભાઈ પાનરસિંગભાઈ આદિવાસી (ઉ.વ. 25, રહે. મૂળ અલીરાજપુર) એ ભાણવડ પોલીસને કરી છે.

    મેવાસાના યુવાનને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

          કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા માલદેભાઈ વીરાભાઈ મકવાણા નામના 20 વર્ષના આદિવાસી યુવાનને તેના કાકાએ અગાઉ કરેલી અરજીનો ખાર રાખીને આ જ ગામના અશોક નારણ પરમાર અને ભરત ડાયા રાઠોડ દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે બંને શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

          ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા શક્તિસિંહ વિજયસિંહ સોઢાને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025

    તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.