Jamnagar, તા.11
હાલમાં સમગ્ર વિશ્વમાં વધતા જતા ડાયાબિટીસના રોગ સામે લોકોમાં જાગૃતિ અનિવાર્ય બની રહી છે. ત્યારે ડાયાબિટીસ જળમૂળથી નીકળી જાય તે માટે ખંભાળિયામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી ગુરુવાર તા. 14 થી તા. 28 નવેમ્બર સુધી સતત 15 દિવસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં “યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા યોગ કેન્દ્ર હોલ ખાતે દરરોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. આ આયોજનમાં ખાસ નિષ્ણાતો દ્વારા ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી તેમજ ઉપચાર આપવામાં આવશે. સાથે સાથે દિનચર્યા પ્રમાણે ડાયેટ પણ સૂચવવામાં આવશે.
ડાયાબિટીસના દર્દીઓને આ રોગથી મહત્તમ રાહત મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. આ કેમ્પમાં સહભાગી થવા માટેhttps://forms.gle/8RecmopcaqgcsCrZ9 લિંક પર રજીસ્ટ્રેશન અનિવાર્ય છે. ટોકન દરે યોજવામાં આવેલા આ કેમ્પમાં વધુ માહિતી માટે જિલ્લા કો-ઓર્ડીનેટર વનિતાબેન ચાવડા (મો. 97265 30920) નો સંપર્ક કરવાનો રહેશે.