Jamnagar તા.29
જામનગર શહેર- જિલ્લામાં ચાલુ માસમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો વકર્યા બાદ જી. જી. હોસ્પિટલમાં રોજના દાખલ થતા 25-30 દર્દીઓ લેખે ડેન્ગ્યુના 600થી વધુ તેમજ કોર્પોરેશનના સર્વેલન્સ દરમિયાન તાવના 790 દર્દીઓ નોંધાયા છે. આમ એક તરફ તહેવારના દિવસો છે. તો બીજી તરફ રોગચાળાનો કહેર ઘટતો ન હોવાની સ્થિતિ જોવા મળે છે. ઉપરાંત ખાનગી દવાખાના-હોસ્પિટલોમાં નોંધાતા દર્દીઓની જાણ મ્યુ. તંત્રને કરવાની કોઈ તસ્દી લેતું નથી. પરંતુ રોગચાળાનો વાસ્તવિક આંકડો ઉંચો હોવાની વર્તમાન સ્થિતિ છે.
શહેરમાં ચાલુ વર્ષના ચોમાસાની અતિવૃષ્ટી બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ જ રીતે હજારો ઘરોની અગાશીઓમાં પણ ખુણે-ખાંચરે પડેલી સામગ્રીમાં પણ સારા પાણી સંગ્રહિત થયા હતા.
તેથી આવા પાણીમાં ડેન્ગ્યુના એડિસ મચ્છરો પેદા ન થાય તે માટે કોર્પોરેશનના મેલેરીયા વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરીને જેમાં મચ્છરોના પોરા જન્મી શકે તેવા લાંબા સમયથી પાણી ભરેલા પાત્રો ખાલી કરાવવાની ઝુંબેશ વારંવાર કરવામાં આવી હતી. છતાં કોર્પોરેશનના ચોપડે સપ્ટેમ્બરમાં માત્ર મમ અને ઓક્ટોબરમાં 172 ડેન્ગ્યુના અને મેલેરીયાના ક્ષ કેસ નોંધાયા હતા. દરમિયાન કોર્પોરેશનની મેલેરીયા શાખાની 211 ટીમોએ છેલ્લા એક અઠવાડીયામાં કુલ 96,530 – ઘરોનો સર્વે કર્યો હતો.
જેમાંથી તાવના 760 દર્દીઓ મળી આવતા તેના રક્તના નમુના લઈને પરિક્ષણ માટે મોકલાવ્યા – હતા. આ ઉપરાંત તંત્રની ટીમોએ મેલેરીયાના એનોફીલીસ મચ્છરોની ઉત્પત્તિ માટે પોઝિટીવ હોય તેવા 2469 સ્થળો, ડેન્ગ્યુ માટે પોઝિટીવ હોય તેવા 1956 પાણી ભરેલા પાત્રો ખાલી કરાવ્યા હતા. ઉપરાંત 58,339 પાણી ભરેલા પાત્રોમાં એબેટ દવા નાંખીને મચ્છરોની ઉત્પત્તિ રોકવાની કામગીરી કરી હતી. ઉલ્લેખનિય છે કે, ડેન્ગ્યુ, – મેલેરીયા ઉપરાંત વાયરલ શરદી-ઉધરસ અને તાવના પણ 1 રોજ સંખ્યાબંધ કેસ નોંધાય છે.