Jamnagar તા.6
જામનગરમાં દિવાળીના તહેવારોમાં સૌ કોઈ પરિવાર સાથે રજાનો આનંદ માણતા હોય ત્યારે શહેરને સ્વસ્થ અને સ્વસ્થ રાખવાની જેમની જવાબદારી છે તેવા મનપાના 2100 સફાઈ કર્મીઓ ઉપરાંત એજન્સીના વધારે કામ કરતા હોય છે. દિવાળીના તહેવારોમાં કચરો વધારે થતો હોય તેની સફાઈ માટે વધારાની કામ કરવાની ફરજ પડે છે. દિવાળીની રાતે મોટા પાયે ફટાકડા ફૂટતા તેના કચરાનો નિકાલ કરતા નાકે દમ આવી જતો હોય છે.
જામનગર મહાપાલિકાના 1300 કાયમી સફાઈ કર્મચારીઓ, 800 અવેજી સફાઈ કર્મચારીઓઅને ખાનગી કંપનીના કર્મચારીઓ કામ કરે છે. આ તમામ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી વધારાની કામગીરી કરી રહયા છે.તેમાં પણ દિવાળીની રાતે શહેરીજનો દ્વારા ફટાકડાની ધડાબડી બોલાવાઈ હોય તેનો 300 થી 350 ટન કચરો પણ નિકળ્યો હતો. આ કચરાનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. શેરી- ગલી તેમજ મુખ્યમાર્ગો ઉપર લોકોએ ફોડેલા ફટાકડાના કચરાનો નિકાલ કરી ઢંગલા કરી તેનો ટીપરવાન દ્વારા નિકાલ કરાયો હતો. ટીપરવાનમાં પણ વધારાના ફેરા કરવાની સ્થિતિ ઉભી થઈ હતી.