Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
    • ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
    • Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
    • દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
    • જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
    • ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Khushi એ મમ્મી શ્રીદેવીની મોમ ફિલ્મની સીકવલનું શૂટિંગ શરુ કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»JP Nadda એ કહ્યું, કોંગ્રેસને સરદાર પટેલ યાદ નથી રહેતા
    રાજકોટ

    JP Nadda એ કહ્યું, કોંગ્રેસને સરદાર પટેલ યાદ નથી રહેતા

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે : નડ્ડા

    RAJKOT, તા.૧૦

    કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.

    કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે.આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી. દેશના વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે.

    તેમણે કહ્યું હતું કે, જ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી ૩૦ વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.

    ઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ૯૭ ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે.

    આ પાવન અવસરે સ્વરાજ મેળવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક વંદન કરતા ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ આ યાદગાર પર્વમાં તમામ નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે સહયોગી બને તેવી શુભેચ્છાઓ આ તકે પાઠવી હતી.

    જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓ, પરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

     

    JP-Nadda Rajkot Tiranga-Yatra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના કુખ્યાત સલમાન લસ્સી પર ફાયરીંગ કરી ધરપકડ

    November 6, 2025
    અમદાવાદ

    ગર્લફ્રેન્ડ એ `રીલેટીવ’ નથી : કાનૂન 498A હેઠળ કામ ચલાવી શકાય નહી : High Court

    November 6, 2025
    રાજકોટ

    Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : જુના ગણેશનગરમાં બીમારીથી કંટાળી યુવાન નો આપઘાત

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025

    જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી

    November 6, 2025

    ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.