Junagadh તા.21
જુનાગઢ તાલુકાના ગોલાધર ગામે રહેતો યુવાન ગત તા.10-10ના તેમના પત્ની સાથે બાઈક પર જતો હતો આ યુવાને 10 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા હુમલો કરનારાઓમાં મહિલાનો પૂર્વ પતિ અને તેના બે ભાઈઓએ પાઈપ લાકડી વડે હીચકારો હુમલો કરતા ગંભીર ઈજામાં વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં જ મોત નોંધાયું
હતું.
આ ઘટનાની વિગત મુજબ જુનાગઢના ગોલાધર ગામે રહેતી મિતલબેન ઓધવજીભાઈ નામની યુવતીએ વર્ષ 2020માં ગામના જ અજય પ્રવિણ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે મિતલના પિતાને પસંદ પડયું ન હતું. તે બાબતે અજય અને તેના પરિવારજનોએ મિતલના પિતા ઓધવજીભાઈ ઉપર હુમલો કરી પતાવી દેતા આ મામલે અજય સહિત તેના પરીવારના સામે ગુનો નોંધાયેલ અને તે જેલમાં જતો રહેલ બાદ મીતલબેને અજય મકવાણા સાથે છુટાછેડા લઈ લીધેલ ત્યારબાદ મીતલબેને ફરી આજ ગામના જય ગોપાલભાઈ કાલરીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ હાલમાં જેલમાંથી છુટીને આવેલ અજય અને તેના ભાઈઓએ ગત તા.10-10ના મિતલબેન અને તેના પતી જય ગોપાલભાઈ કાલરીયા મોસામાં જુનાગઢ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અજય પ્રવિણ મકવાણા, વિજય પ્રવિણ અને મીલન પ્રવિણ મકવાણાએ બાઈક રોકી મીતલબેનને કહેલ કે અમે તારા બાપને મારી નાખ્યો છે તેમાંથી છુટીને આવી ગયા છીએ તેને શું કરી લીધું હવે તમને બન્નેને મારીન ખવા છે.
તેમ કહી મિતલબેન અને તેના પતિ જય ગોપાલ કાલરીયા ઉપર લોખંડના પાઈપ લાકડી વડે હુમલો કરતા જય કાલરીયાના માથામાં ગંભીરઈજા થવા પામી હતી. જેની મીતલબેનની ફરીયાદના આધારે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.
બાદ જય કાલરીયાની તબીયત વધુ ખરાબ થતા અમદાવાદ લઈ જવામાં આવતા રસ્તામાં જ જય કાલરીયાનું મોત નોંધાતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના જણાવ્યા મુજબ જય કાલરીયાને આંતરીક ઈજા વધુ થતા તેની તબીયત ખરાબ થતા અમદાવાદ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નોંધાતા 302 ની કલમનો ઉમેરો કરાયો છે. હાલ ત્રણેય આરોપીઓ જેલમાં હોવાનું જણાવાયું છે. આ હત્યા કેસમાં આરોપીઓને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયાસો કરાશે તેમ જણાવાયું છે.
મૃતક જય કાલરીયાએ મિતલ સાથે 10 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા અજય મકવાણાએ 2020માં મિતલના પિતાની હત્યા કરી નાખતા મિતલબેને અજય સાથે છુટાછેડા લઈ 10 દિવસ પહેલાજ પ્રેમલગ્ન જય ગોપાલભાઈ કાલરીયા સાથે કર્યા હતા.