જૂનાગઢ ડુંગર દક્ષિણ રેંજ વનવિભાગ ખડીયા દ્વારા બામણવાડા તથા લોએજના વિદ્યાર્થીઓને પ્રકૃતિનું માર્ગદર્શન અપાયું
Junagadh,તા.04
ડુંગર દક્ષિણ રેંજ, વનવિભાગ જૂનણઢ દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત બે દિવસની પ્રાકૃતિક શિક્ષણ શિબિર ખડીયા નર્સરી જુનાગઢ ખાતે યોજાયેલ. જેમાં શ્રી સૌરભ સ્કૂલ બામણવાડા તથા એસ.ડી.બી. હાઈસ્કૂલ લોએજના કુલ ૯૦ વિદ્યાર્થીઓને ગરવા ગીરનારની ગોદમાં પ્રકૃતિથી વાકેફ કરવામાં આવ્યા. જેથી વિદ્યાર્થી પર્યાવરણને સમજે અને હાલના સમયમાં જ્યારે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે તેને સમજે અને લોકોને સમજાવી વનસ્પતિ અને વન્ય જીવો ને બચાવવાનો પુરતો પ્રયત્ન કરવા પ્રેરણા મેળવી છે.
સમગ્ર શિબિરમાં ધોરણ ૭ થી ૧૨ ના બાળકોને વિવિધ ઔષધિય વનસ્પતિની ઓળખાણ તથા તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી મેળવવા ઉપરાંત તમામ વન્ય જીવની સાથે ખાસ ઝેરી બિન ઝેરી સાપની વિવિધ જાતિઓ, સિંહ, દિપડા વગરે જંગલી પશુ પક્ષીઓની વિસ્તૃત માહિતીસભર જ્ઞાન મેળવેલ. સાંજે કેમ્પ ફાયરમાં અધિકારી, કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમની રમઝટ બોલાવી હતી. બીજે દિવસે સવારે જંગલમાં ટ્રેકિંગમાં ગયેલા જ્યાં પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી કુદરતના ખોળે ગીરનારની ગોદમાં વિહરી ભોજન સાથે પ્રક્રૃતિથી ઓળઘોળ થયા આ શિબિરમાં વેજાભાઈ પીઠીયા, નિલેશભાઈ બામરોટીયા, દક્ષાબેન પીઠીયા, ગોવિંદભાઈ પીઠીયા, ચિંતન ચોચા, રાજેશ મજેઠીયા, રમાબેન વગેરે સ્ટાફ સતત સક્રિય રહ્યા હતા. વન વિભાગમાંથી મંજુબેન આહિર, જાંબુચા સાહેબ, નિવૃત ફોરસ્ટર હમીરભાઈ પીઠીયા,જયદિપભાઈ, લાખાભાઈ, RFO ભાલિયા સર તથા RFO સુત્રેજા સર અને એનજીઓ માંથી કીર્તિબેન રાજગોર વગેરે દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું જે બદલ શાળાએ વનવિભાગનો આભાર માન્યો હતો .