Junagadh, તા. 27
ભવનાથમાં આવેલ ગિરનાર સીડીથી લઇ મંગલનાથ બાપુના આશ્રમ સુધીનો રસ્તો 8 દિવસ માટે બંધ કરાયો છે. પાણીની પાઇપલાઇન નંખાયા બાદ હવે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભવનાથ વિસ્તારના વોટર ઝોન-7માં પાણીનતા પાઇપ લાવી નાખવાની કામગીરીના ભાગરૂપે ગિરનારની સીડીથી લઇને મંગલનાથ બાપુના આરમ સુધી નવી પાઇપ લાઇન નાંખવામાં આવી છે.
તે દરમ્યાન બહારથી આવતા યાત્રીકો-પ્રવાસીઓ તેમજ 4 જાન્યુઆરીના યોજાનાર ગિરનાર અરોહણ અવરોહણની સ્પર્ધાને લઇને કોઇ મુશ્કેલી ન પડે કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રોડ રીસ્ટોરેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે.
રોડને કોઇ નુકસાને થાય તે માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જેથી તા. 27 થી 3 જાન્યુઆરી સુધી ગિરનારની સીડીથી લઇને મંગલનાથ બાપુની જગ્યા સુધીમાં કોઇ ફોરવ્હીલ, ટુ વ્હીલનોને પ્રવેશબંધી કરવામાં આવી છે તેમ મનપા જુનાગઢે જણાવ્યું છે.