Junagadhતા.15
ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા યાત્રીકોના મોબાઈલ ચોરીના બનાવોમાં વધુ ચાર મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. રાજકોટ જીલ્લાના જનકા ગામના રહીશ નિતેષભાઈ બાબુભાઈ બાવળીયા (ઉ.25) નામના યુવાન પરિક્રમામાં આવેલ તેમનો રૂા.15000નો મોબાઈલ ભવનાથ જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ પાસેથી ભીડમાં કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે.
કેશોદમાં માંગરોળ રોડ પર રહેતા વંદનકુમાર દામોદરભાઈ ભાખર (ઉ.31)નો મોબાઈલ કિંમત રૂા.5000નો બોરદેવી ખાતે આરામ કરતા હોય ત્યાંથી કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ ભવનાથ પોલીસમાં નોંધાઈ છે.
કેશોદ શ્રી ખોડીયાર રાજધાની પાર્કમાં રહેતા બીપીનકુમાર પાંચાભાઈ ઠુંમર (ઉ.57)નો મોબાઈલ રૂા.10,000નો બોરદેવી જંગલના ત્રણ રસ્તે બેગમાંથકોઈ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે.
કેશોદ પીપલીયાનગરમાં રહેતા ભરતભાઈ નાનાલાલ સોજીત્રા (ઉ.61)નો મોબાઈલ રૂા.10 હજારનો બોરદેવી ખાતે આરામ કરતા હતા ત્યારે ભીડમાંથી કોઈએ મોબાઈલની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.