Junagadhતા.૨૩
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે જુનાગઢના સોની વેપારીએ ગ્રાહકના ૮,૦૦૦,૦૦થી વધુના દાગીના પેઢીમાં રાખી છેતરપિંડી આચાર્યનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતા ફરીયાદી સોનલબેન વિજયભાઈ મંગાભાઈ ચોરવાડાએ બે સોની વેપારી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરીયાદમાં જણાવ્યાં મુજબ ગત વર્ષ ૨૬-૪-૨૦૨૩ થી આજ દિન સુધીમાં સોનાની પેઢી ધરાવતા નીરેન ગીરધર ધોળકીયા, હાર્દિક ગીરધાર ધોળકીયાની સોનાની દુકાન દિવાન ચોક સોની હરકીશન પરસોતમની પેઢીમાં સોનાના દાગીના ગીરવે મૂકી રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં હાર દોરો બુટી મળી વજન ૧૦૦ ગ્રામ કિંમત રૂ.૪ લાખના દાગીના ગીરવે મુકી રૂા.૩,૫૦,૦૦૦ માસીક વ્યાજ રૂા.૨૬૦૦ લેખે લીધેલા જેનું દર માસે વ્યાજ ચુકવતા હતા. ત્યારબાદ દાગીના છોડાવવા માટે રૂા.૧ લાખ જમા કરાવેલ હતા.
જેમાં રૂા.૨,૫૦,૦૦૦ બાકી દેવાના હતા. તેમજ સાહેદ મનીષાબેને મંગલસુત્ર વજન ૨૦ ગ્રામ ૮૦,૦૦૦, રોકડા રૂા.૫૦,૦૦૦ મળી કુલ ૧,૩૦,૦૦૦ તેમજ જીવીબેનની કાન બુટી વજન ૧૦ ગ્રામ કિંમત રૂા.૪૦,૦૦૦ તેમજ હરેશભાઈ ચૌહાણનો હાર વજન ૩૦ ગ્રામ કિંમત રૂા.૧,૨૦,૦૦૦ તેમજ નવા દાગીના બનાવવા રાખેલ તેના એડવાન્સ પેટે આપેલ રોકડ રૂા.૧,૧૨,૦૦૦ મળી કુલ રૂા.૨,૩૨,૦૦૦ તથા હીનાબેન ડાભીની બુટી જોડી ૨ વજન ૧૦ ગ્રામ રૂા.૪૦,૦૦૦ મળી કુલ રૂા.૮,૪૨,૦૦૦ વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ગીરવે રાખી ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બંને સોની વેપારીએ પૈસા આપી લલચાવી વેપારી તરીકે વિશ્વાસમાં લઈ તમામના દાગીના પરત નહી આપી આ બન્ને વેપારીઓએ ફરીયાદી સોનલબેન અને સાહેદો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ જે.આર. વાઝાએ તપાસ હાથ ધરી છે.