Gandhinagar,તા.09
ગુજરાતમાં હવે રાજકીય ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં બજેટ સત્ર પુર્વે જ ફેરફાર થાય અને નવા નાણામંત્રીને બજેટ તૈયાર કરવામાં સફળતા મળી રહે તે જોવા માટે પ્રયાસ છે.
વર્ષ મુજબ વર્તમાન નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે અને તેમના સ્થાને હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું એ છે કે મંત્રીમંડળમાં શ્રી શંકર ચૌધરીની કેબીનેટમંત્રી તરીકે એન્ટ્રી અને તેઓને ખૂબજ મહત્વનું ખાતું સોપાઈ શકે છે.
હાલના મંત્રીમાં ઋષીકેશ પટેલ, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ તથા કુવરજીભાઈ બાવળીયા વિ.ને નવી ‘ભૂમિકા’ સોપાઈ શકે છે. હાલમાંજ જે રીતે સંગઠન પ્રક્રિયાને બ્રેક મરાઈ છે તેમાં પણ મંત્રીમંડળમાં સ્થાન અંગેની ચર્ચા પણ પાંચ જ દિવસમાં પુરી કરાશે.
શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા અધ્યક્ષ તરીકે ‘સફેદ વાળ’ની પરંપરા છે તે આગળ ધપાવશે. શ્રી બનાસકાંઠામાં વાવ બેઠક કબ્જે કર્યા બાદ શ્રી શંકર ચૌધરી માટે હવે કેબીનેટમાં સ્થાન નિશ્ચિત બની ગયુ છે અને મંત્રીમંડળમાં તેઓની ભૂમિકા પણ મહત્વની રહેશે તે નિશ્ચિત છે.